અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના અભિષેકને હવે 24 કલાકથી પણ ઓછો સમય બાકી છે. આ માટે 16 જાન્યુઆરીથી પ્રાણ-પ્રતિષ્ઠા અંતર્ગત અનેક કાર્યક્રમો અને પૂજાનો પ્રારંભ થયો છે. દેશવાસીઓમાં 22મી જાન્યુઆરીને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, ભક્તો પૂજા, પાઠ, અનુષ્ઠાનથી લઈને રેલી અને શોભાયાત્રાનું આયોજન કરી રહ્યા છે, પણ કેટલાક અસામાજિક તત્વોના કારણે મહેસાણામાં શાંતિ ખોરવાઈ છે.
સૂત્રો મુજબ મહેસાણાના ખેરાલુમાં ભગવાન રામની યાત્રામાં પથ્થરમારો થયાના સમાચાર મળી રહ્યા છે. ખેરાલુના બેહરિન વાસ વિસ્તારમાંથી શોભાયાત્રા નીકળતા કેટલાક અસામાજિક તત્વોએ યાત્રા પર પથ્થરમારો કર્યો હતો. ધાબા અને અગાસી પરથી પથ્થરમારો કરવામાં આવ્યો હતો. રામનામની ભક્તિમાં રંગાયેલા લોકો અને અસામાજીક્તત્વો વચ્ચેના આ વિવાદના કારણે પરિસ્થિતિ કાબૂમાં ન રહેતા તંત્ર દ્વારા કડક પગલા લેવાયા હતા.
ઘટનાના પગલે પોલિસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને પરિસ્થિતિ થાળે પાડવા અંદાજે 10 રાઉન્ડ ટિયર ગેસના સેલ છોડ્યા હતા. જે પછી સ્થિતિ પર કાબૂમાં આવી હતી, હાલ આ બનાવમાં કોઈને ગંભીર ઈજા થઇ હોવાના સમાચાર નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમાધવરાયની ગૌરવવંતી જાનનું સુદામાપુરીમાં થયું સ્વાગત
April 11, 2025 02:12 PMવોર્ડ નં-૬ ના લોકો મોદીને ચોથી વાર જોવા માંગે છે વડાપ્રધાન તરીકે!
April 11, 2025 02:11 PMશીંગડા ગામે ભાજપના આગેવાનોએ ગ્રામજનો સાથે કરી ખાસ મુલાકાત
April 11, 2025 02:10 PMલાભ મેળવનાર લોકોની ભાજપના આગેવાનોએ લીધી મુલાકાત
April 11, 2025 02:09 PMપોરબંદર તરસ્યુ રહે નહી તે માટે મનપા દ્વારા હાથ ધરાયા પ્રયાસો
April 11, 2025 02:08 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech