ભારતીય ટીમના કેપ્ટન અને IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ ટીમનો હિસ્સો રોહિત શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટમાં પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. IPLની 17મી સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સની સફર લીગ સ્ટેજની મેચો સાથે સમાપ્ત થઈ. હવે બધાનું ધ્યાન આગામી T20 વર્લ્ડ કપ પર છે, જેના કારણે IPLમાંથી ફ્રી થયેલા ભારતીય ખેલાડીઓએ હવે આ મેગા ટૂર્નામેન્ટની તૈયારી શરૂ કરી દીધી છે. જો કે રોહિતની આ પોસ્ટે બધાને ચોંકાવી દીધા છે.
પોતાની પોસ્ટમાં, રોહિત શર્માએ IPLમાં ટીવી બ્રોડકાસ્ટર અધિકારો મેળવનાર કંપનીની ટીકા કરી છે. રોહિતે પોતાની પોસ્ટમાં સ્પષ્ટ લખ્યું છે કે ખેલાડીઓની પણ અંગત જિંદગી હોય છે અને તેઓ પોતાના મિત્રો અને પરિવાર સાથે બહાર પણ જાય છે. તેઓ જે કહે છે તે બધું રેકોર્ડ કરીને અપલોડ કરવું બિલકુલ યોગ્ય નથી. રોહિતે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે ક્રિકેટરોના જીવનમાં ખૂબ જ દખલગીરી થઈ રહી છે. કૅમેરા અમારી દરેક મોમેન્ટ અને વાતચીતને સતત રેકોર્ડ કરે છે, પછી ભલે તે અમારા મિત્રો, સાથી ખેલાડીઓ સાથે પ્રાઇવેટ જગ્યાએ હોય કે તાલીમ અને મેચમાં હોઈએ. મારા એક વીડિયોમાં, મેં બ્રોડકાસ્ટરને મારી વાતચીત રેકોર્ડ ન કરવા કહ્યું હતું, પરંતુ તેમ છતાં તેઓએ તેને પ્રસારણમાં ચલાવ્યું, જે પ્રાઈવાસીનું પૂરું ઉલ્લંઘન છે.
રોહિતે પોતાની પોસ્ટમાં જે વીડિયોનો ઉલ્લેખ કર્યો છે તે વાસ્તવમાં ધવલ કુલકર્ણી સાથેની તેની વાતચીતનો છે, જેમાં તેણે કેમેરામેનને વીડિયો રેકોર્ડ કરવાની મનાઈ કરી હતી પરંતુ તેમ છતાં બ્રોડકાસ્ટરે તે વીડિયો ચલાવ્યો હતો. આ વીડિયોમાં રોહિત સ્પષ્ટપણે ઓડિયો સ્વિચ ઓફ કરવાની વાત કરી રહ્યો હતો. કુલકર્ણી ઉપરાંત KKR ટીમના આસિસ્ટન્ટ કોચ અભિષેક નાયર પણ તે સમયે રોહિતની સાથે હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech