વારાણસીની જિલ્લા અદાલતે ગતરોજ જ્ઞાનવાપી સંકુલમાં સ્થિત વ્યાસજીના ભોંયરામાં હિન્દુઓને પૂજા કરવાનો અધિકાર આપવાનો આદેશ આપ્યો હતો. કોર્ટના આ નિર્ણય બાદ પ્રથમ વખત જ્ઞાનવાપીના વ્યાસ ભોંયરામાં પૂજા થઈ હતી, જેનો વીડિયો પણ સામે આવ્યો છે. બુધવારે મોડી રાત્રે ભોંયરું ખોલીને સાફ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ ત્યાં પૂજા કરવામાં આવી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.
જ્ઞાનવાપી સંકુલના વ્યાસજીના ભોંયરામાં પૂજા બાદ મુસ્લિમ પક્ષની પ્રતિક્રિયા પણ સામે આવી છે. જ્ઞાનવાપીમાં નમાઝ અદા કર્યા બાદ બહાર આવેલા મુસ્લિમ પક્ષે કોર્ટના નિર્ણય પર નારાજગી વ્યક્ત કરી છે. મુસ્લિમ પક્ષના વાદી મુખ્તારે વ્યાસજીના ભોંયરામાં પૂજાનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે અન્ય પેન્ડિંગ કેસોમાં કોઈ તાકીદ નથી પરંતુ આ કેસમાં કોઈ પુરાવા વગર આદેશ આપવામાં આવ્યો છે. આ સાથે મુખ્તારે કહ્યું કે મોડી રાત્રે પૂજા શરૂ કરવી એ કોઈ નિયમ નથી.
આ ઉપરાંત મસ્જિદની વ્યવસ્થા સમિતિએ વારાણસીના વિવાદિત જ્ઞાનવાપી સંકુલમાં વ્યાસ જીના ભોંયરામાં પૂજા શરૂ કરવા અંગે અલ્હાબાદ હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે. સુપ્રીમ કોર્ટમાંથી રાહત ન મળ્યા બાદ મસ્જિદની વ્યવસ્થા સમિતિએ જિલ્લા ન્યાયાધીશ વારાણસીના નિર્ણયને પડકારતી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.
વારાણસી કોર્ટના નિર્ણય અંગે હિન્દુ પક્ષના વકીલ મદન મોહન યાદવે કહ્યું હતું કે અદલાતે વ્યાસ જીના પૌત્ર શૈલેન્દ્ર પાઠકને ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો છે. આ સાથે જિલ્લા ન્યાયાધીશે આ આદેશમાં જિલ્લા મેજિસ્ટ્રેટને નિર્દેશ આપતાં સ્પષ્ટ કહ્યું છે કે વાદી શૈલેન્દ્ર વ્યાસ અને કાશી વિશ્વનાથ ટ્રસ્ટ દ્વારા નિયુક્ત પૂજારીને ભોંયરામાં સ્થિત મૂર્તિઓની પૂજા અને ભોગ કરવા માટે કહેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech