શહેરના રૈયા ગામ નજીક તબેલામાં ઘોડાની નાળ બદલતા યુવકને ઘોડાએ છાતીમાં પાટુ મારતા ત્યાંજ ઢળી પડેલા યુવકને અર્ધ બેભાન હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો પરંતુ સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દેતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ મૂળ રાજસ્થાનનો વતની અને પરિવાર સાથે સાતેક વર્ષથી રૈયા સ્મશાન પાસે રહેતા તેજસિંહ અમનસિંહ ઈડા (ઉ.વ.39)ના યુવક રાત્રીના સાળા નવેક વાગ્યે રૈયામાં આવેલા મહેન્દ્રભાઈના તબેલે હતો ત્યારે નીચે બેસીને ઘોડાની નાળ બદલતો હતો ત્યારે અચાનક ઘોડાએ પાટુ મારતા છાતીમાં લાગ્યું હતું અને યુવક ત્યાંજ પડી ગયો હતો. અન્ય લોકો દોડી આવ્યા હતા અને તાકીદે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતા યુવકે દમ તોડી દીધો હતો. બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે યુનિવર્સીટી પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.
મૃત્યુ પામનાર તેજસિંહ ચાર ભાઈ ત્રણ બહેનમાં મોટા હતા. સંતાનમાં એક દીકરો છે. બનાવથી પરિવારમાં ગમગીની છવાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધારી : વન વિભાગ દ્વારા વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી
June 06, 2025 12:50 PMરાજકોટ : ન્યારી-૧ ડેમ પર ચોમાસા પૂર્વે ગેટ્સનું સર્વિસિંગ-રિપેરિંગ પૂર્ણ
June 06, 2025 12:45 PMજામનગર: ગોકુલનગર વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસો વીજધાંધીયાથી લોકો ત્રાહિમામ
June 06, 2025 12:42 PMદ્વારકાના ગોમતીઘાટમાં પાંચ યુવતી ડૂબી: એકનું મોત
June 06, 2025 12:18 PMમોરઝરમાં રહેતા ભરવાડ પરીવારની યુવતિ એકાએક ગુમ
June 06, 2025 12:12 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech