ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં માનવભક્ષી વરુઓનો ભય હજુ પણ યથાવત છે. અહીં 35 ગામોમાં લોકો આખી રાત જાગતા રહે છે અને પોતાના ઘરની ચોકી કરે છે. અત્યાર સુધીમાં વનવિભાગે ચાર વરુ પકડ્યા છે, જોકે બે વરુ હજુ પણ આતંક મચાવી રહ્યા છે. પરંતુ શું તમે જાણો છો કે વરુ તેના શિકારને 2 કિલોમીટરથી વધુ દૂરથી સૂંઘી શકે છે?
ઉત્તર પ્રદેશના બહરાઈચ જિલ્લામાં વન વિભાગે અત્યાર સુધીમાં 4 માનવભક્ષી વરુઓને પકડ્યા છે. પરંતુ હજુ પણ બે વરુઓ નાસતા ફરે છે અને પકડાયા નથી. ગત રવિવારે રાત્રે પણ વરુના હુમલામાં અઢી વર્ષની બાળકીનું મોત થયું હતું અને ગઈરાત્રે પણ એક બાળકીને શિકાર બનાવી હતી. અગાઉ વરુઓએ એક બાળક, એક મહિલા અને એક વૃદ્ધ વ્યક્તિ પર હુમલો કરી ઘાયલ કર્યા હતા. અત્યાર સુધી બહરાઈચમાં ભયંકર વરુઓએ 9 બાળકો સહિત 10 લોકોની હત્યા કરી છે.
ગંધ કરવાની ક્ષમતા
ભારતીય વરુઓની ગંધ તીક્ષ્ણ હોય છે. વરુઓ ખૂબ દૂરથી ગંધને અનુભવી શકે છે. વરુના શરીરના જુદા જુદા ભાગોમાં વિશિષ્ટ સુગંધ ગ્રંથીઓ હોય છે. સંશોધન મુજબ વરુના શિકારને 2.5 કિમી દૂર સુધી સૂંઘી શકે છે. સંશોધકો માને છે કે ભારતીય વરુઓ 3 મીટર સુધી બરફની નીચે દટાયેલા શિકારને શોધવામાં સક્ષમ છે.
ભારતીય વરુના અવાજ ચાર પ્રકારના હોય છે. જેમાં ચીસો, ગર્જના, બબડાટ અને ભસવાનો સમાવેશ થાય છે. તેઓ 103 થી 145 સેમી ઊંચા ઊંચા હોય છે. આ લંબાઈ નાકથી પૂંછડી સુધી છે. નર વરુનું વજન 19 થી 25 કિગ્રા અને માદા વરુનું વજન 17-22 કિગ્રા છે.
પ્રાણીઓ ક્યારે માનવભક્ષી બને છે?
હવે ઘણી વખત પ્રશ્ન થાય છે કે કોઈ પ્રાણી ક્યારે માનવભક્ષી બને છે? મળતી માહિતી મુજબ, એવું કહેવાય છે કે જ્યારે વરુ, વાઘ અને અન્ય પ્રાણીઓ માનવનું લોહી ચાખી જાય ત્યારે પ્રાણી હિંસક અને માનવ ભક્ષી બની જાઈ છે. પછી જ્યારે તેઓને ભૂખ લાગે છે. ત્યારે તેઓ મનુષ્યોને શોધવાનું શરૂ કરે છે. એવું પણ માનવામાં આવે છે કે જ્યારે આ પ્રાણીઓને શિકાર ન મળે ત્યારે પણ તેઓ માનવભક્ષી બની જાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજેતપુરમાં દારૂના ધંધાર્થી યુવાનનું અજાણ્યા શખસોએ બોથડ પદાર્થના ઘા ફટકારી ઢીમ ઢાળી દીધું
May 19, 2025 04:42 PMવડવા પાદર દેવકીમાં હથીયારો સાથે શખ્સોએ મચાવ્યો આંતક
May 19, 2025 04:41 PMકલેકટરની રુબરુ મુલાકાત દરમ્યાન લોકો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્ર્નોની સમીક્ષા કરાઈ
May 19, 2025 04:38 PMચોમાસા પુર્વેની તૈયારીઓ અંગે જિલ્લા કલેકટર દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓને કરાઇ તાકીદ
May 19, 2025 04:32 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech