માનસીક તણાવ બાબતનું મનમાં લાગી આવતા પગલુ ભર્યુ : શોકની લાગણી
મોટી ખાવડી ટાઉનશીપ સેકટર વિસ્તારમાં રહેતી પરણીતાએ માનસીક તણાવની બિમારીના કારણે લાગી આવતા ઘઉંમાં મુકવાની ટીકડીઓ ખાઇ લેતા સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ નિપજયુ હતું, બનાવના પગલે શોકની લાગણી ફેલાઇ ગઇ હતી.
મુળ જુનાગઢના કેશોદ તાલુકાના જુથળ ગામના વતની અને હાલ રીલાયન્સ ટાઉનશીપ સેકટર-2117 એચ, મોટી ખાવડી ખાતે રહેતા સંઘ્યાબેન મેહુલભાઇ સાદરીયા (ઉ.વ.29) નામની પરિણીતાને દોઢેક વર્ષથી માનસીક તણાવની બિમારી હોય, પુરી ઉંઘ કરી શકતા ન હતા.
તેણીને ખોટા વિચારો આવતા હોય તેની દવા ચાલુ હતી તેમ છતા આ બિમારી જતી ન હોય જેના કારણે મનમાં લાગી આવતા ગઇકાલે પોતાની મેળે ઘઉંમા મુકવાની સેલફોસ નામની ટીકડીઓ ખાઇ જતા ઉલ્ટીઓ થઇ હતી આથી હેલ્થ સેન્ટરમાં સારવાર માટે લઇ જવામાં આવેલ જયાં સારવાર દરમ્યાન તેણીનું મૃત્યુ થયુ હતું આ બનાવ અંગે મેહુલ વિનોદભાઇ સાદરીયા દ્વારા મેઘપર પડાણા પોલીસમાં જાણ કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech