કરોડો રૂપિયાની કિંમતી જમીન પરનું દબાણ દૂર કરવા માંગ: ગૌસેવા સંસ્થા દ્વારા તંત્રને રજૂઆત
ખંભાળિયા શહેરની નજીકમાં આવેલી ગ્રામ પંચાયતોના વિસ્તારમાં સરકારની ગૌચરની જમીન પર અનેક સ્થળોએ ભૂમાફિયાઓ દ્વારા દબાણ આચરવામાં આવ્યું હોવાના આક્ષેપો સાથે આ અંગે ગૌસેવા સંસ્થા દ્વારા જિલ્લા કલેકટરને લેખિત પત્ર પાઠવવામાં આવ્યો છે.
ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ખાસ કરીને ગૌવંશ સહિત અનેક પ્રકારના અબોલ પશુ-પક્ષીઓની નિયમિત રીતે સેવાઓ કરતી સંસ્થા એનીમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અહીંના જિલ્લા કલેકટરને એક લેખિત પત્ર પાઠવીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ પત્રમાં જણાવાયા મુજબ ખંભાળિયા શહેરને સંલગ્ન આવેલી ધરમપુર, રામનગર, શક્તિનગર અને હર્ષદપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં અનેક શખ્સો દ્વારા ગૌચરની જમીનને વણાંકી લેવામાં આવી છે. ત્યારે આ પ્રકારનું જમીન દબાણ તાકીદે દૂર કરાવી અને ગૌચરની આ જગ્યા ગૌવંશ માટે ખુલ્લી કરાવવામાં આવે તેવી માંગ આ પત્રમાં કરવામાં આવી છે.
કરોડો રૂપિયાની કિંમતી મનાતી આ જમીન પર દબાણ હટાવવામાં આવે તેવી રજૂઆત સંસ્થાના પ્રમુખ દેશુરભાઈ ધમા દ્વારા કરાઈ છે. સાથે પત્રની નકલ રાજ્યના મુખ્યમંત્રી તેમજ ગૃહમંત્રીને પણ મોકલવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech