નાના દરની ચલણની તંગીથી લોકોને મુશ્કેલી
ખંભાળિયા તથા આસપાસના જિલ્લાઓમાં હાલ લગ્નસરાની મોસમ પૂર બહારમાં ખીલી છે. ત્યારે આ માહોલમાં લોકોના વ્યાપાર, વ્યવહાર અને ખરીદ-વેચાણમાં વધારો થતો જોવા મળી રહ્યો છે. જો કે, છેલ્લા કેટલાક સમયથી બજારમાં રૂ. 10 તથા રૂ. 20 ના દરની નોટોની અછત સર્જાતા નાના ધંધાર્થી તેમજ વેપારીઓને તેમના રોજિંદા વ્યવહારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
હાલ લગ્નસરાની મોસમમાં નાના દરના ચલણની ખાસ જરૂરિયાત હોય છે. ખાસ કરીને વેપારીઓને ગ્રાહકો સાથેની લેવડ-દેવડમાં છૂટા પૈસાની ઉપલબ્ધતા ઓછી હોવાને કારણે વેપારીઓને ગ્રાહકોને યોગ્ય વ્યવહાર કરવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ પરિસ્થિતિના કારણે પેપર કરન્સી ઉપરાંત ડિજિટલ પેમેન્ટના વિકલ્પોને અનુસરવા માટે વેપારીઓ મજબુર બન્યા છે.
સ્થાનિક વેપારીઓએ માંગણી કરી છે કે આ સમસ્યાના ઉકેલ માટે બેન્કો તેમજ સંબંધિત નાણાકીય સંસ્થાઓ તાત્કાલિક પગલાં લે. તેઓએ રૂ. 10 અને રૂ. 20ના ચલણને પૂરતું ઉપલબ્ધ કરાવી સ્થાનિક બજારને સહાય કરવા માટે માંગણી વ્યક્ત કરી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નાણાકીય સંસ્થાઓ દ્વારા યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તો વેપારીઓ તથા ગ્રાહકો બંનેને સુગમ વ્યવહાર માટે સહાય મળશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમશેદપુરમાં કરણી સેનાના પ્રદેશ પ્રમુખની ગોળી ધરબી કરપીણ હત્યા
April 21, 2025 11:17 AMનિશિકાંત દુબેની મુશ્કેલી વધી શકે છે ફોજદારી કાર્યવાહી શરૂ કરવા માંગ
April 21, 2025 11:15 AMધારાસભ્ય દિવ્યેશ અકબરી સતત ત્રીજા દિવસે જનતાના દરબારમાં ઉપસ્થિત
April 21, 2025 11:13 AMક્રૂડ ઓઇલ ચાર વર્ષના તળિયે પેટ્રોલ ડિઝલના ભાવ ઘટશે?
April 21, 2025 11:05 AMટ્રમ્પના ટેરિફ ટેરરથી ટ્રુડોની પાર્ટીને ફાયદો
April 21, 2025 11:04 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech