અસહ્ય ગરમીમાં મુસાફરોને રાહતઃ રાજકોટની તમામ સિટી બસમાં પાણીના જગ અને ORSની સુવિધા

  • April 11, 2025 12:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ શહેરના લોકોને શહેરી પરીવહન સેવા પુરી પાડવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સિટી બસ સેવા તથા બીઆરટીએસ. બસ સેવા ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે. જેનું સંચાલન રાજકોટ મહાનગરપાલિકાની કંપની, રાજકોટ રાજપથ લી. (SPV) દ્વારા કરવામાં આવી રહેલ છે. જે સબબ કુલ ૮૦ રૂટ પર ૧૦૦ CNG તથા ૧૨૪ ઇ-બસ એમ કુલ-૨૨૪ બસ દ્વારા પરિવહન સેવા પુરી પાડવામાં આવી રહેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અસહ્ય ગરમી અને તડકાની પરિસ્થિતિને પગલે પરિવહન કરતા શહેરીજનો માટે તમામ BRTS બસ શેલ્ટર્સ તથા તમામ સિટી બસમાં પીવાના પાણીના જગ તેમજ ORSની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

હાલમાં ગરમીની પરિસ્થિતિને ધ્યાને લઈ જાહેર પરિવહન સેવાના મુસાફરોને અસહ્ય ગરમીમાં રાહત મળે તે હેતુથી તમામ BRTS બસ શેલ્ટર્સ પર એર કુલર મુકવામાં આવ્યા છે ઉપરાંત પીવાના પાણીના જગ તેમજ ORS મુકવામાં આવેલ છે. તમામ સિટી બસમાં પીવાના પાણીના જગ તેમજ ORS પણ મુકવામાં આવેલ છે. આ ઉપરાંત ત્રિકોણબાગ ખાતેના સિટી બસ કંટ્રોલરૂમ ખાતે પણ ORS થતા પીવાના પાણીના જગ ઉપલબ્ધ કરાવવામાં આવેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application