શહેરની મોટી હવેલીના પૂ.વલ્લભરાયજી મહોદયના આત્મજના પૂ.રસાદ્રરાયજી મહોદયના શુભ વિવાહના પ્રસ્તાવ અંગે કાર્યકરોની એક મીટીંગ બોલાવવામાં આવી હતી જેમાં 30 જેટલી કમીટીની રચના કરવામાં આવી હતી, આ મીટીંગમાં જામનગર વૈષ્ણવ સમાજના પ્રમુખ અને અગ્રણી ઉદ્યોગપતિ જીતુભાઇ લાલ, ઉપપ્રમુખ દિનેશભાઇ મારફતીયા, ચેતનભાઇ માધવાણી, વિપુલભાઇ કોટક, લોહાણા સમાજના પ્રમુખ ભરતભાઇ મોદી, મીતેશભાઇ લાલ, નિરજભાઇ દતાણી, રાજુભાઇ મારફતીયા સહિતના અગ્રણીઓ આ મીટીંગમાં જોડાયા હતાં અને કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું. 27 વર્ષ બાદ જામનગર વલ્લભ કુળના આંગણે બાવાશ્રીના શુભ વિવાહનો પ્રસંગ આવી રહ્યો છે, જેને ઉજવવા માટે વૈષ્ણવ સમાજમાં આનંદની હેલી ઉમટી છે અને વિવિધ કમીટીમાં હાજર રહેલા કાર્યકરોને બેઇજ પણ આપવામાં આવ્યા હતાં, આ પ્રસંગે પૂ.વલ્લભરાયજીએ આર્શીવચન પાઠવ્યા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech