હવેથી અત્યતં ઝેરી સાપના કરડવાથી પણ મૃત્યુ નહીં થાય, વૈજ્ઞાનિકોએ ખાસ પ્રકારની એન્ટિબોડીઝ તૈયાર કરી છે, જે પરંપરાગત ઉત્પાદનો કરતાં ૧૫ ગણી વધુ અસરકારક છે.વૈજ્ઞાનિકોએ કૃત્રિમ માનવ એન્ટિબોડી એન્ટિવેનોમ તૈયાર કરવામાં સફળતા મેળવી છે જે ઝેરી સાપના ઝેરને નિષ્ક્રિય કરવામાં સક્ષમ હશે.વિશ્વમાં દર વર્ષે હજારો લોકો સાપ કરડવાથી મૃત્યુ પામે છે. હવે આ સમસ્યામાંથી જલ્દી છુટકારો મેળવી શકાશે .
સાયન્સ ટ્રાન્સલેશનલ મેડિસિન જર્નલમાં પ્રકાશિત સંશોધન અનુસાર, અમેરિકાના સ્ક્રિપ્સ રિસર્ચ ઇન્સ્િટટૂટના સંશોધકોએ કહ્યું કે આ અભ્યાસ સાર્વત્રિક એન્ટિબોડી સોલ્યુશન તરફ એક પગલું છે, જે આપણને સાપના ઝેરથી બચાવી શકે છે. સેનજી લમી, જેઓ ઇન્ડિયન ઇન્સ્િટટૂટ આફ સાયન્સ , બેંગલુમાંથી પીએચડી કરી રહ્યાં છે, તેમણે કહ્યું કે સાપ કરડવાની સારવાર માટે એન્ટિબોડીઝ વિકસાવવાની આ વ્યૂહરચના પ્રથમ વખત અપનાવવામાં આવી છે.
સંશોધકોએ જણાવ્યું હતું કે એન્ટિબોડીનો હેતુ થ્રી ફિંગર ટોકિસન , વિશ્વના સૌથી ઘાતક ઝેરની અસરોને દૂર કરવાનો હતો. સંશોધનમાં દાવો કરવામાં આવ્યો છે કે આ એન્ટિબોડી થ્રી ફિંગર ટોકિસન ના ૧૪૯ માંથી ૯૯ પ્રકારો પર અસરકારક છે. તેનો પ્રયોગ ઉંદરો પર કરવામાં આવ્યો હતો.પરીક્ષણમાં જાણવા મળ્યું કે ઝેર આપવામાં આવેલ ઉંદરો ચાર કલાકમાં મૃત્યુ પામ્યા હતા, પરંતુ જેમને ઝેર–એન્ટીબોડી મિશ્રણ આપવામાં આવ્યું હતું તેઓ ૨૪–કલાકના અવલોકન સમયગાળામાં બચી ગયા અને સંપૂર્ણ સ્વસ્થ દેખાયા. ખાસ વાત એ છે કે આ એન્ટિબોડી માનવ શરીરમાં જ બને છે. નોંધનીય છે કે સાપ કરડવાથી મોટાભાગના મૃત્યુ ભારત અને સહારા આફ્રિકા ક્ષેત્રમાં થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech