વેરાવળ રેલવે સ્ટેશન ખાતે ગઇકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી હસ્તે સોમનાથ ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લ ા પંચાયત પ્રમુખ મંજુલાબહેન મૂછાર, સર્વે ધારાસભ્યો સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં દાહોદ ખાતેથી વચ્ર્યુઅલ લીલી ઝંડી બતાવીને સાબરમતી–વેરાવળ વંદે ભારત એકસપ્રેસને પ્રસ્થાન કરાવાયા બાદ આજથી આ ટ્રેન દર ગુરૂવાર સિવાયના દિવસોએ નિયમિત દોડતી થઇ છે.
ગઇકાલે આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચૂડાસમાએ જણાવ્યું હતું કે, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લ ો અનેક કુદરતી સ્થળો, નૈસર્ગિક પ્રકૃત્તિ અને પ્રવાસન સ્થળો ધરાવે છે. સોમનાથ મંદિર, ગરવો ગઢ ગીરનાર અને સાસણ જેવા પ્રવાસન સ્થળો પર્યટકોને આકર્ષે છે. પ્રવાસન સ્થળોના વિકાસ માટે કનેકિટવિટી અગત્યની છે, ત્યારે જિલ્લ ાની પ્રવાસન સર્કિટને વેગવંતી બનાવવા માટે તથા લોકોને આરામદાયક મુસાફરીમાં વંદેભારત ટ્રેન મહત્વનો ભાગ ભજવશે.
જિલ્લ ા કલેકટર એન.વી.ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, વંદે ભારત ટ્રેનના માધ્યમથી સોમનાથ–અમદાવાદની મુસાફરીમાં વધુ એક ઉમેરો થયો છે.
રેલવે ડીઆરએમ રવિશકુમારે તમામ મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કર્યુ હતું અને વંદે ભારત એકસપ્રેસ ટ્રેનના ટ, સમય અને અત્યાધુનિક સગવડતાઓથી ઉપસ્થિત સર્વેને માહિતગાર કર્યા હતાં.
ઉલ્લ ેખનીય છેકે, વંદે ભારત (ટ્રેન નં ૨૬૯૦૧૨૬૯૦૨) ગુવાર સિવાય અઠવાડિયાના છ દિવસ દરરોજ બપોરે ૨–૩૦ કલાકે વેરાવળથી પ્રસ્થાન કરશે અને સાંજે ૨૧–૩૦ કલાકે સાબરમતી સ્ટેશને આગમન થશે. આ ટ્રેનને જૂનાગઢ, રાજકોટ, વાંકાનેર, સુરેન્દ્રનગર અને વિરમગામ સ્ટોપેજ અપાયો છે.
આ કાર્યક્રમમાં સર્વે ધારાસભ્ય પ્રધુમનભાઈ વાજા, ભગવાનભાઈ બારડ, વેરાવળ–પાટણ સંયુકત નગરપાલિકા પ્રમુખ પલ્લ વીબહેન જાની, સીનિયર ડિવિઝનલ કમર્શિયલ મેનેજર અતુલ ત્રિપાઠી, જિલ્લ ા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક યોગેશ જોશી, પ્રાંત અધિકારી વિનોદ જોશી, સોમનાથ મંદિર જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા, અગ્રણી સંજયભાઈ પરમાર, શિવાભાઈ સોલંકી, પશ્ચિમ રેલવે ભાવનગર મંડળના કર્મચારીઓ, રેલવે સલાહકાર સમિતિના સભ્યો અને મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યાં હતાં
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application₹1 નો સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ થાય છે? RBI એ આપ્યો પાઈ-પાઈનો હિસાબ
June 04, 2025 09:45 PMગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech