વરુણ ધવનની આગામી ફિલ્મ બેબી જ્હોન 25મી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ ફિલ્મ પર ઘણો બધો મદાર છે.
બોલિવૂડ અભિનેતા વરુણ ધવન ફિલ્મોમાં તેની શાનદાર કોમેડી માટે જાણીતો છે. તેની ફિલ્મોમાં એક્શન પણ હોય છે, પરંતુ ફેન્સમાં તેની ઈમેજ કોમેડી એક્ટર તરીકેની છે. પરંતુ હવે તે એક્શન અવતારમાં જોવા મળશે. તેની ફિલ્મ ‘બેબી જોન’ સિનેમાઘરોમાં રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં વરુણ ધવન જોરદાર એક્શનમાં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન કલિસ દ્વારા કરવામાં આવ્યું છે અને એટલી કુમાર દ્વારા નિર્મિત છે. વરુણ ધવનના ફેન્સ ફિલ્મ ‘બેબી જોન’ની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.
કૃતિ સુરેશ અને વામિકા ગબ્બી ફિલ્મ ‘બેબી જોન’માં વરુણ ધવનની સાથે જોવા મળશે. આ ફિલ્મમાં જેકી શ્રોફ ખલનાયક તરીકે જોવા મળશે. ફિલ્મમાં જેકી અને વરુણ બંનેની એક્શન ચાહકોને ખુબ પસંદ આવશે. આ સિવાય ફિલ્મને રજાનો લાભ પણ મળવાનો છે. આ ફિલ્મ 25 ડિસેમ્બરે રજાના દિવસે રિલીઝ થઈ રહી છે. આવી સ્થિતિમાં, માનવામાં આવે છે કે ફિલ્મ પ્રથમ દિવસે સારી કમાણી કરશે.
એક રિપોર્ટ અનુસાર, ‘બેબી જોન’ પહેલા દિવસે માત્ર 12 થી 15 કરોડ રૂપિયાની કમાણી કરશે. દરમિયાન, પિંકવિલાના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે ફિલ્મ 15-18 કરોડ રૂપિયાનું કલેક્શન કરી શકે છે. આ સિવાય ફિલ્મની કમાણી 20 કરોડ રૂપિયા સુધી પહોંચવાનો અંદાજ છે. આ પછી ફિલ્મની કમાણી રિવ્યુ અને માઉથ ટુ માઉથ પબ્લિસિટી પર આધાર રાખે છે.
અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા 2’ બોક્સ ઓફિસ પર કમાણી કરી રહી છે અને ફિલ્મે કમાણીના ઘણા રેકોર્ડ તોડીને 1500 કરોડનું કલેક્શન પાર કરી લીધું છે. ‘પુષ્પા 2’ને બોક્સ ઓફિસ પર બીજી કોઈ ફિલ્મનો સામનો કરવો પડ્યો ન હતો, પરંતુ હવે ‘બેબી જોન’ 25 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે, જેની અસર હવે ‘પુષ્પા 2’ની કમાણી પર જોવા મળી શકે છે. જો ‘બેબી જોન’ ચાહકોનું દિલ જીતી લે તો ‘પુષ્પા 2’ માટે મુશ્કેલી આવી શકે છે, પરંતુ એ પણ સાચું છે કે ‘પુષ્પા 2’ના ક્રેઝને કારણે ‘બેબી જોન’ને બોક્સ ઓફિસ પર નુકસાન સહન કરવું પડી શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech