ઉપલેટા સિવિલ હોસ્પિટલના કર્મીએ ઝેરી દવા પીને કર્યેા આપઘાત

  • March 31, 2025 10:56 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ઉપલેટાની સિવિલ હોસ્પિટલમાં કરાર આધારિત પટ્ટાવાળાની નોકરી કરતા આહીર યુવાને અગમ્ય કારણોસર ડયુટી પુુરી કયાૃ બાદ હોસ્પિટલમાં જ ઝેરી દવા પી આપઘાત કરી લેતા કર્મચારીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આપઘાત કરનાર યુવાન પાસેથી સ્યૂસાઇટ નોટ મળી આવતા પોલીસે સ્યૂસાઇટ નોટ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ શહેરના આહિર યુવાન પિયુષ મેરામણભાઇ વાઢિયા સિવિલ હોસ્પિટલમાં કરાર આધારીત પટ્ટાવાળાની નોકરી કરે છે. પિયુષ રવિવારે સવારથી બપોરના બે વાગ્યા સુધી ડયુટી પર હાજર રહી ડયુટી પુરી કરી હોસ્પિટલના રૂમ નં.૩માં જઇ ઝેરી દવા પી લેતા તેનું મોત થયું હતું. પિયુષે ઝેરી દવા પીતા પહેલા રૂમ નં.૩ને અંદરથી બધં કરી દીધો હતો. ઝેરી દવા પીવાથી ભારે ઉલ્ટી થતાં તે બાથરૂમ તરફ ગયો હતો. જયારે રૂમ નંબર ૩ને બીજી ચાવીથી ખોલતા તેમાં પિયુષનો મૃતદેહ અર્ધેા બાથરૂમમાં અને અર્ધેા રૂમમાં પડયો હતો. આથી ફરજ પરના ડોકટરોએ પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. તપાસ કરતા એક સ્યુસાઇડ નોટ મળી આવી તે પોલીસે કબજે લઇ આગળની તપાસ હાથ ધરી છે. જાણવા મળતી વિગતો પ્રમાણે સ્યુસાઇડ નોટમાં તેને નસગના અભ્યાસ બાદ બે શખસોને દોઢ લાખ રૂપિયા આપ્યા હતાં પણ તેમાં તે છેતરાયો હોવાનું જણાઇ આવતા આ પગલું ભયુંર્ હોવાનું જણાઇ આવે છે. કદાચ પિયુષ સામે બન્ને શખસોે ફ્રોડ કરતા તેમાં હતાશ થઇને પણ ઝેરી દવા પી લીધી હોવાનું અનુમન થઇ રહ્યું છે. પિયુષ પરણીત હોવાનું તેને સંતાનમાં એક પુત્ર હોવાનું પણ જાણવા મળે છે. અભ્યારે તો પોલીસે એન.સી. લઇ પિયુષ વાઢિયાએ કયા કારણોસર આપઘાત કરી લીધો છે તે દિશામાં સ્થાનિક પીઆઇ બી.આર.પટેલ તપાસ હાથ ધરી છે. આ અંગે પીઆઇ બી.આર.પટેલનો સંપર્ક કરતા તેઓએ જણાવેલ કે હાલ આમા ગુ રાહે તપાસ હાથ ધરી છે. આપઘાત કરવાનું સાચુ કારણ શું છે તેની સ્યુસાઇડ નોટ કબજે લેવાઇ છે તેને તેમજ અન્ય કારણોની તપાસ હાથ ધરાઇ છે, ત્યારબાદ આપઘાતનું ચોકકસ કારણ જણવામાં આવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application