આજે કેબિનેટની બેઠકમાં મોદી સરકારે એક દેશ, એક ચૂંટણીના બિલને મંજૂરી આપી દીધી છે. હવે સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે. જેપીસી કમિટીની રચના કરવામાં આવશે અને તમામ પક્ષોના સૂચનો લેવામાં આવશે. આખરે સંસદમાં બિલ લાવવામાં આવશે અને તેને પસાર કરવામાં આવશે. આ પહેલા રામનાથ કોવિંદની કમિટીએ સરકારને રિપોર્ટ સોંપ્યો હતો. હાલમાં દેશના અલગ–અલગ રાયોમાં અલગ–અલગ સમયે ચૂંટણી યોજાય છે. આ બિલ કાયદો બન્યા બાદ દેશમાં એક સાથે ચૂંટણી કરાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી છે.
મોદી સરકાર આ બિલને લઈને સતત સક્રિય છે. સરકારે સપ્ટેમ્બર ૨૦૨૩માં આ મહત્વકાંક્ષી યોજના પર આગળ વધવા માટે પૂર્વ રાષ્ટ્ર્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વમાં એક સમિતિની રચના કરી હતી. રામનાથ કોવિંદ સમિતિએ એપ્રિલ–મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા માર્ચમાં સરકારને પોતાની ભલામણો સુપરત કરી હતી. કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા સમિતિની ભલામણોને સ્વીકારી હતી. સમિતિએ તેના અહેવાલમાં બે તબક્કામાં ચૂંટણી કરાવવાની ભલામણ કરી હતી.
સૂત્રોનું કહેવું છે કે હવે સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે. આગામી સાહે આ શિયાળુ સત્રમાં જ આ બિલ લાવવામાં આવે તેવી શકયતા છે. સરકાર આ બિલને લાંબી ચર્ચા અને સર્વસંમતિ માટે સંયુકત સંસદીય સમિતિને મોકલવાની યોજના બનાવી રહી છે. જેપીસી તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરશે અને આ પ્રસ્તાવ પર સામૂહિક સર્વસંમતિની જરિયાત પર ભાર મૂકશે.
રામનાથ કોવિંદ સમિતિએ એપ્રિલ–મેમાં યોજાનારી લોકસભાની ચૂંટણીની જાહેરાત પહેલા માર્ચમાં સરકારને પોતાની ભલામણો સુપરત કરી હતી. કેન્દ્ર સરકારે થોડા સમય પહેલા સમિતિની ભલામણોને સ્વીકારી હતી. રિપોર્ટમાં બે તબક્કામાં ચૂંટણી કરાવવાની ભલામણ કરવામાં આવી છે. સમિતિએ પ્રથમ તબક્કા હેઠળ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી યોજવાની ભલામણ કરી છે. યારે બીજા તબક્કામાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી યોજવાની ભલામણ કરવામાં આવી છે.
વન નેશન, વન ઇલેકશન એ એક પ્રસ્તાવ છે જે અંતર્ગત ભારતમાં લોકસભા અને રાય વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવાની વાત કરવામાં આવી છે. ભાજપના મેનિફેસ્ટોના કેટલાક મહત્વના લયાંકોમાં પણ આનો સમાવેશ કરવામાં આવ્યો છે. એકસાથે ચૂંટણી કરાવવાનો પ્રસ્તાવ રાખવાનું કારણ એ છે કે તેનાથી ચૂંટણીમાં થતા ખર્ચમાં ઘટાડો થઈ શકે છે. ૧૯૫૧ અને ૧૯૬૭ ની વચ્ચે, દેશમાં એક સાથે ચૂંટણીઓ યોજાઈ હતી અને લોકો એક જ સમયે કેન્દ્ર સરકાર અને રાય સરકાર બંનેને મત આપતા હતા. બાદમાં, દેશના કેટલાક જૂના પ્રદેશોની પુન:રચના સાથે, ઘણા નવા રાયોની સ્થાપના પણ કરવામાં આવી. આ કારણે ૧૯૬૮–૬૯માં આ સિસ્ટમ બધં થઈ ગઈ હતી. છેલ્લા કેટલાક સમયથી તેને ફરી શ કરવાના વિચારો ચાલી રહ્યા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech