હાલમાં ચોમાસામાં પશુઓ રોડ ઉપર રાત્રે બેઠા હોય છે અને વાહન ચાલકોને અંધારામાં પશુ દેખાતા ના હોય પશુઓનો જીવ બચાવવા અને વાહન અકસ્માત ના ાય તે માટે ઉના પોલીસ ઇન્સ્પેકટર રાણા અને હિન્દુ યુવા સંગઠન ભારત ઉના પ્રખંડના પ્રમુખ મહેશભાઈ રામજીભાઈ બારીયા, અજયભાઈ બાંભણિયા અને તેમની ટીમના કાર્યકરો અને પોલીસ સ્ટાફે સોમના ભાવનગર નેશનલ હાઇવે રોડ ઉપર તેમજ ઉના શહેરમાં રોડ ઉપર ફરતા પશુઓના ગળામાં રીફલેક્ટર વાળા રેડિયમ પટ્ટીના કોલર અને શિંગડા ઉપર રેડિયમ પટ્ટી લગાવી વાહન અકસ્માતના બનાવ રોકવા જીવદયા પ્રવૃતિ કરી હતી.
તેમજ ઉના પોલીસ સ્ટેશનની હદમાં આવતા નેશનલ હાઇવે રોડ ઉપર ફોર લેન રોડ ઉપર ડીવાયડર તૂટી ગયા હતા તે ઉના તાલુકાના સોંદરડી ગામી સિમસી ગામ સુધીના ડીવાયડર રિપેર કરવા ઉનાના પોલીસ ઇન્સ્પેકટર મહેન્દ્રસિંહ એન. રાણા અને નેશનલ હાઇવેના અધિકારીએ અકસ્માત નિવારવા બે દિવસમાં ડીવાયડર તૂટેલ રિપેર કરી બંધ કરેલ અને જ્યાં જરૂર પડે બેરિકેટ મૂકી અકસ્માત નિવારવા કામગીર કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech