શહેરમાં હાર્ટ અટેકથી મૃત્યુ થવાના બનાવનો ચિંતા જનક રીતે વધારો જોવા મળી રહ્યો છે. શહેરના જુદા જુદા વિસ્તારના બે યુવક અને એક આધેડનું હૃદય થંભી જતા પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
પ્રા વિગત મુજબ રૈયાધારમાં રહેતો અને બિગ બાઝાર પાછળ આવેલા કર્ણાવતી પગરખા નામના શો મમાં મેનેજર તરીકે નોકરી કરતો આવિનાશ કાંતિલાલ વાઘેલા (ઉ.વ.૩૧)નો યુવક ગઈકાલે સાંજે શો મમાં ઉભો હતો ત્યારે અચાનક ચક્કર આવતા ઢળી પડતા શો મમાં કામ કરતા અન્ય કમર્ચારીઓ દોડી ગયા હતા અને તાકીદે સિવિલ હોસ્પિટલએ ખસેડવામાં આવતા બેભાન હાલતમાં જ યુવકે દમ તોડી દીધો હતો. બનાવની જાણ હોસ્પિટલ ચોકીના સ્ટાફે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે હોસ્પિટલ પહોંચી જરી કાગળો કર્યા હતા. મૃતક અવિનાશ બે ભાઈ બે બહેનમાં મોટો હતો અને સંતાનમાં બે દીકરી છે. યુવકના મોતથી પરિવારમાં આક્રદ સર્જાયો છે.
બીજા બનાવમાં મવડી પ્લોટના વિનાયક નગર–૯માં રહેતો શાંતિ ભીમાભાઇ ગોરસવા (ઉ.વ.૩૦)નો યુવક બપોરે ચારેક વાગ્યે ઘરે હતો ત્યારે અચાનક પડી જતા ઘરના સભ્યોએ દોડી જઈ તાકીદે સિવિલમાં ખસેડો હો પરંતુ સારવાર કારગત નીવડે પહેલા જ દમ તોડી દેતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. મૃત્યુ પામનાર યુવક ત્રણ ભાઈ ચાર બહેનમાં વચેટ હતો અને ગાડીના શોમમાં નોકરી કરતો હતો. બનાવના પગલે માલવીયાનગર પોલીસે જરી કાર્યવાહી કરી હતી. ત્રીજા બનાવમાં ગાંધીગ્રામમાં ગોવિંદનગર–૫માં રહેતા ભાવેશભાઈ ગોવિંદભાઇ શોઢા (ઉ.વ.૪૭)ના આધેડ સાંજે ઘરે હતા ત્યારે એકાએક બેભાન થઇ જતા સિવિલ ખાતે લઇ જવાતા ફરજ પરના તબીબે જોઈ તપાસી મૃત જાહેર કરતા બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસ સ્ટાફે હોસ્પિટલ પહોંચી જરી કાર્યવાહી પુરી કરી હતી. મૃત્યુ પામનાર પાંચ ભાઇમાં નાના હતા અને સંતાનમાં દીકરો દીકરી છે અને પોતે કારખાનામાં કામ કરતા હતા. બનાવથી પરિવારમાં શોક છવાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech