સજા ઉપરાંત ચેકની બમણી રકમનો દંડ ફટકાર્યો
જામનગર મા નાંણા ધિરધાર કરતી પેઢી માંથી ૧ લાખ ૫૦ હજારની લોન મેળવી તેની પરત ચુકવણી માટે આપેલ ચેક પરત ફરવા નાં કેસ મા આરોપીને બે વર્ષ ની સજાનો અદાલતે આદેશ કર્યો છે.
જામનગરની સિદ્ધનાથ એન્ટરપ્રાઈઝના નામથી ચાલતી નાણા ધીરધાર પેઢી કે જેના ઓથોરાઇઝડ સુનીલ નવીનચંદ્ર ગોરી હોય અને જામનગરમાં રહેતા નંદા માસુમભાઈ નીતિનભાઈ ને નાણાની જરૂરીયાત ઉપસ્થિત થતા સુનીલ નવીનચંદ્ર ગોરીની પેઢી માથી રૂા.૧,૫૦,૦૦૦ ની અગંત લોન લીધી હતી. અને તે રકમની પરત ચુકવણી માટે નંદા માસુમભાઈ નીતિનભાઈ દ્રારા લોનની પરત ચુકવણી માટે સુનીલ નવીનચંદ્ર ગોરીની પેઢી ને. રૂા.૧,૫૦,૦૦૦ નો ચેક આપવામાં આવ્યો હતો.
જે ચેક એકાઉન્ટ કલોઝડ કારણે પરત આવેલ હતો. જેથી સુનીલ નવીનચંદ્ર ગોરી એ નંદા માસુમભાઈ નીતિનભાઈ વિરુદ્ધ . ચીફ જ્યુડીશ્યલ મેજી સમક્ષ નેગોશીયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-૧૩૮ મુજબ ફોજદારી ફરિયાદ દાખલ કરેલ હતી.
આ અંગે નો કેસ ચલી જતા અદલતે આરોપી નંદા માસુમભાઈ નીતિનભાઈ ને તકસીરવાર ઠરાવી બે વર્ષની કેદની સજા અને ચેકની ડબલ રકમ એટલે કે રૂા.ત્રણ લાખ નાં દંડનો હુકમ ફરમાવેલ છે. અને જો રકમ ભરવામાં કસુર કરે તો આરોપીને વધુ ચાર માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ ફરમાવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech