શહેરમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. કુવાડવા રોડ પર રોહિદાસ પરામાં યુવકે અને સંતકબીર રોડ પર રાજારામ સોસાયટીમાં વૃધ્ધાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.
રોહિદાસપરામાં 35 વર્ષના યુવકનો મોત
પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ પર રોહિદાસપરા મેઈન રોડ પર રહેતા દિનેશભાઇ મનજીભાઇ પરમાર (ઉ.વ.35)એ પોતાના ઘરે લોખંડની આડીમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા પરિવારજનોએ 108ને જાણ કરતા ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. બનાવની જાણ બી ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી તપાસ હાથ ધરી હતી. આપઘાત કરનાર દિનેશભાઇ એક ભાઈ એક બહેનમાં મોટા અને અપરણિત હતા.પોતે મજૂરી કામ કરતા હતા. છેલ્લા છએક વર્ષથી માનસિક સ્થિતિ ખરાબ હોય તેની દવા પણ ચાલુ હતી. ગઈકાલે મગજ ભમતા પગલું ભરી લીધું હતું.
વૃદ્ધાએ ઘરના ડેલામાં ચૂંદડી બાંધી ફાંસો ખાઈ લીધો
બીજા બનાવમાં સંતકબીર રોડ પર રાજારામ સોસાયટીમાં રહેતા કુંવરબેન રામસીંગભાઈ સોલંકી (ઉ.વ.90)ના વૃદ્ધાએ ઘરના ડેલામાં ચૂંદડી બાંધી ફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું. બનાવની જાણ થોરાળા પોલીસને થતા પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને સિવિલમાં ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં બે દીકરા છે. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech