રોહિદાસપરામાં ઘરે લોખંડની આડીમાં ચૂંદડી બાંધી યુવકનો ગળાફાંસો ખાઈ આપઘાત, રાજારામ સોસાયટીમાં વૃધ્ધાએ ટૂંપો ખાઈ જીવનલીલા સંકેલી

  • June 05, 2025 03:55 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરમાં આપઘાતના બનાવો સતત વધી રહ્યા છે. કુવાડવા રોડ પર રોહિદાસ પરામાં યુવકે અને સંતકબીર રોડ પર રાજારામ સોસાયટીમાં વૃધ્ધાએ ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધાના બનાવો પોલીસ ચોપડે નોંધાયા છે.


રોહિદાસપરામાં 35 વર્ષના યુવકનો મોત

પ્રાપ્ત વિગત મુજબ કુવાડવા રોડ પર રોહિદાસપરા મેઈન રોડ પર રહેતા દિનેશભાઇ મનજીભાઇ પરમાર (ઉ.વ.35)એ પોતાના ઘરે લોખંડની આડીમાં ચૂંદડી બાંધી ગળેફાંસો ખાઈ લેતા પરિવારજનોએ 108ને જાણ કરતા ઇએમટીએ જોઈ તપાસી મૃત જાહેર કરતા પરિવારમાં ગમગીની છવાઈ હતી. બનાવની જાણ બી ડિવિઝન પોલીસને કરવામાં આવતા પોલીસ સ્ટાફે સ્થળ પર પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી તપાસ હાથ ધરી હતી. આપઘાત કરનાર દિનેશભાઇ એક ભાઈ એક બહેનમાં મોટા અને અપરણિત હતા.પોતે મજૂરી કામ કરતા હતા. છેલ્લા છએક વર્ષથી માનસિક સ્થિતિ ખરાબ હોય તેની દવા પણ ચાલુ હતી. ગઈકાલે મગજ ભમતા પગલું ભરી લીધું હતું.​​​​​​​

વૃદ્ધાએ ઘરના ડેલામાં ચૂંદડી બાંધી ફાંસો ખાઈ લીધો

બીજા બનાવમાં સંતકબીર રોડ પર રાજારામ સોસાયટીમાં રહેતા કુંવરબેન રામસીંગભાઈ સોલંકી (ઉ.વ.90)ના વૃદ્ધાએ ઘરના ડેલામાં ચૂંદડી બાંધી ફાંસો ખાઈ લેતા મોત નીપજ્યું હતું. બનાવની જાણ થોરાળા પોલીસને થતા પોલીસ સ્થળ પર પહોંચી મૃતદેહને સિવિલમાં ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં બે દીકરા છે. આપઘાતનું કારણ જાણવા પોલીસે તપાસ હાથ ધરી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application