નંદનવન પાર્કમાં બે ભાઈઓ પર ધોકા વડે હુમલો

  • June 12, 2025 11:06 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જુની અદાવતના બનાવમાં સમાધાનની ચા પીવા માટે બોલાવ્યા બાદ બબાલ: ચાર સામે ફરિયાદ


જામનગરમાં સાધના કોલોની નજીક નંદનવનપાર્ક શેરી નંબર બે માં રહેતા લાલજીભાઈ મંગાભાઈ સોલંકી નામના ૨૭ વર્ષના મારવાડી યુવાને પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ જયેશ ઉપર લાકડાના ધોકા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે હરીશ સવજી સોલંકી, નરશી રાજા સોલંકી, મનજી નરશી સોલંકી, અને દેવા નરશી સોલંકી સામે ફરિયાદ નોંધાવી છે.

પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી યુવાન લાલજીભાઈ તેમજ આરોપી હરીશ સાથે અગાઉ માથાકૂટ થઈ હતી, જે બનાવમાં સમાધાન કરવા માટે અને સમાધાનની ચા પીવા માટે લાલજીભાઈ અને તેના ભાઈ જયેશને બોલાવાયા હતા, ત્યાં સમાધાનની વાતો ચાલતી હતી,  દરમિયાન ચારેય આરોપીઓએ ધોકા વડે હુમલો કરી દીધો હોવાનું પોલીસમાં જાહેર થયું છે તે ચારેય આરોપીઓને પોલીસ શોધી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application