ખંભાળિયા તાલુકાના સલાયા ગામના ગ્રામ દેવતા શ્રી માધવરાય મંદિરે અગિયારસના રોજ ઠાકોરજી સાથે તુલસીજીના વિવાહનો કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો.
ખંભાળિયા નજીક આવેલા સલાયા ગામની મધ્યે આવેલા ગ્રામ દેવતા શ્રી માધવરાય મંદિરે તાજેતરમાં દેવઉઠી અગિયારસના રોજ ઠાકોરજી સંગે તુલસીજીના વિવાહ યોજાયા હતા. જેમાં મોટી સંખ્યામાં હિન્દુ સમાજના ભાઈઓ બહેનો જોડાયા હતા. આ પ્રસંગે લાલજી મંદિરેથી વાજતે ગાજતે જાન માધવરાય મંદિરે ધામધૂમપૂર્વક આવી હતી. ત્યાર બાદ માધવરાય મંદિરનાં મુખ્યાજી શાસ્ત્રી શ્યામભાઈ દવે તેમજ શાસ્ત્રી રાજુભાઇ રિસ્કાએ પૂજા-અર્ચના કરાવી હતી.
આ આયોજનમાં સલાયા રઘુવંશી સમાજ અગ્રણી લાલજીભાઈ ભૂવા તેમજ આગેવાનો ઉપસ્થિત રહયા હતા અને ઠાકોરજીના લગ્ન વિધિમાં ધર્મલાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech