રાજકોટના દંપત્તિને ઇજાગ્રસ્ત બનાવનાર કારચાલક સામે ફરિયાદ નોંધાવાઈ
જામનગર- ખંભાળિયા ધોરી માર્ગ પર મોડપર ગામના પાટીયા પાસે કાર અને રિક્ષા તેમજ ક્રેઇન વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો, જે અકસ્માતમાં રાજકોટનું એક દંપતિ ઘાયલ થયું હતું, જે અકસ્માત સર્જનાર કાર ચાલક સામે ફરિયાદ નોંધાવાઈ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર મોડપર ગામના પાટીયા પાસે ગત તા ૧૨.૭.૨૦૨૪ ના સવારે ૯.૧૫ વાગ્યા ના અરસામાં જી.જે.-૩ બી.ઝેડ. ૨૮૯૮ નંબરની ટેક્સી કાર તેમજ ઓટોરિક્ષા અને ક્રેઇન વચ્ચે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો.
જે અકસ્માતમાં રાજકોટના સોની દંપત્તિ દિલીપભાઈ પાટડીયા અને તેના પત્નીને નાની મોટી ઈજાઓ થઈ હતી. ઉપરોક્ત અકસ્માત સર્જનાર કારના ચાલક પરેશભાઈ સામે સામે ઇજાગ્રસ્ત સોની દંપતી ના પુત્ર ચેતન દિલીપભાઈ પાટડીયાએ મેઘપર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે કારચાલક સામે ગુનો નોધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech