આયુર્વેદ શિક્ષણ અને અનુસંધાન સંસ્થાન, જામનગરમાં અસ્થિસંધાન વિભાગ દ્વારા સપ્તાહમાં ત્રણ દિવસ સોમ, બુધ અને શુક્રવારે હાડકાં સંબંધી બાબતો માટે નિઃશુલ્ક નિદાન અને સારવાર ઉપલબ્ધ બનાવવામાં આવી છે, જેમાં શહેરના પ્રખ્યાત ઓર્થોપેડિક સર્જન ડો. એમ.એસ. ડાંગર પણ સેવા આપશે.
અહીં સાંધા અને હાડકાં ની તકલીફ જેવી કે, ગરદન, કમર, ખંભાનો દુઃખાવો હાથ-પગમાં ખાલી ચડવી અને બળતરા થવી, સાંધા માં પાણી ભરાવું, પગ ના મરોડ વગેરે ની સારવાર તથા ફ્રેકચરની સારવાર માટે કાચા અને પાકા પ્લાસ્ટર અને ઓપરેશનની સુવિધા, સાંધાના ખડી જવાની તકલીફની સારવાર આપવામાં આવશે. આ માટે દર્દીએ અસ્થિસંધાન વિભાગ ઓ.પી.ડી. નંબર ૧૯, પંચકર્મ ભવન, યુ.જી. હોસ્પિટલ, ધન્વન્તરિ પરિસર, હનુમાન ગેઈટ પોલીસ ચોકી પાસે, આઈ.ટી.આર.એ. પરિસરમાં દર સોમવાર, બુધવાર અને શુક્રવારના રોજ સવારે ૯ થી ૧ દરમિયાન સંપર્ક કરવા અને નિદાન સારવારનો લાભ લેવા આરઈ.ટી.આર.એ.ના ઈન્ચાર્જ નિયામક પ્રો.બી. જે. પાટગીરી એ જણાવ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પે USAID ના 2000 કર્મીને કાઢી મુક્યા
February 24, 2025 10:48 AMદ્વારકાની ગોમતી નદીના કિનારે અનોખો સાંસ્કૃતિક અને આધ્યાત્મિક અનુભવ
February 24, 2025 10:42 AMભવનાથ મહાશિવરાત્રી મેળામાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૌપ્રથમવાર સંશોધન
February 24, 2025 10:41 AMગીરસોમનાથ તંત્રની ખનીજ માફિયાઓ સામે લાલ આંખ: ત્રણ લીઝને ૧૮.૧૪ કરોડનો દંડ
February 24, 2025 10:39 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech