પાકિસ્તાનના બલુચિસ્તાનમાં બલૂચ લિબરેશન આર્મી (બીએલએ) એ ગઈકાલે જાફર એક્સપ્રેસ ટ્રેન હાઇજેક કરી અને લગભગ 200 મુસાફરોને બંધક બનાવ્યા. હવે આ ઘટનાના 24 કલાક પછી 200 થી વધુ શબપેટીઓ ક્વેટા રેલ્વે સ્ટેશન પર લાવવામાં આવી છે. જોકે, હજુ સુધી મૃત્યુઆંકની કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
અહેવાલ મુજબ, એક અધિકારીએ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં વહીવટીતંત્ર 90 ખાલી શબપેટીઓ પ્લેટફોર્મ પર લાવી ચૂક્યું છે અને 130 વધુ શબપેટીઓ લાવવામાં આવી રહી છે, જે ટ્રેન દ્વારા મોકલવામાં આવશે. અગાઉ, બલૂચિસ્તાનના ભૂતપૂર્વ સીએમ અખ્તર મેંગલે ટ્વિટર પર પોસ્ટ કર્યું હતું કે, "બલૂચિસ્તાનનો એક ઇંચ પણ ભાગ એવો બચ્યો નથી જેના પર પાકિસ્તાની સરકાર પોતાનો હક દાવો કરી શકે. તેઓ આ યુદ્ધ સંપૂર્ણપણે હારી ગયા છે. અમે તેમને ચેતવણી આપી હતી જેમ અમારા પહેલાના લોકોએ તેમને ચેતવણી આપી હતી."
અખ્તર મેંગલે કહ્યું કે અમારી વાત સાંભળવાને બદલે તેઓએ અમારી મજાક ઉડાવી. પાકિસ્તાન સરકારે અમારા કોલ્સને ખાલી ધમકીઓ તરીકે ફગાવી દીધા, જ્યારે તેઓ જુલમ, લૂંટફાટ અને ખૂન-ખરાબાને પ્રોત્સાહન આપતા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech