જુનાગઢ મહાનગરપાલિકા દ્રારા પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીના કારણે એક બાદ એક રસ્તા તોડવામાં આવી રહ્યા છે. શહેરમાં રસ્તામાં ભાંગફોડ બાદ તળેટી વિસ્તારમાં પણ કામગીરી થઈ રહી છે. હાલ વર્ષના અંતિમ સાહ ના કારણે હજારો લોકો પર્યટન ધામ ખાતે ફરવા આવી રહ્યા છે. મહાનગરપાલિકા દ્રારા ભવનાથ વિસ્તારમાં વોટર ઝોન–૭ માં પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરીના કારણે ગિરનાર સીડી થી મંગલનાથ બાપુના આશ્રમ સુધીનો રસ્તો તોડવામાં આવ્યો છે યાં પાણીની લાઈન નાખવામાં આવી રહી છે. જેથી તત્રં દ્રારા આજથી ૩ જાન્યુઆરી સુધી મંગલનાથ બાપુ આશ્રમથી ગિરનાર સીડી સુધીના રસ્તે તમામ પ્રકારના વાહનોની અવર–જવર પર પ્રતિબધં લગાવવામાં આવ્યો છે.ત્રણ જાન્યુઆરી સુધી માત્ર પગપાળા જ જઈ શકાશે. અત્રે ઉલ્લ ેખનીય છે કે નાતાલ પર્વ અંતર્ગત ભવનાથ તળેટી અને ગિરનાર ચડવા મોટી સંખ્યામાં લોકો પહોંચે છે. રોપવેમાં પણ પ્રવાસીઓનો ઘસારો રહે છે. પ્રવાસીઓની સંખ્યા વધુ હોય તેવા દિવસોમાં જ મહાનગરપાલિકા દ્રારા ભવનાથ તળેટીમાં મંગલનાથ બાપુ આશ્રમ પાસેથી વાહનોની અવર–જવર પર પ્રતિબધં લગાવતા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવો પડશે. ખાસ કરીને ગિરનાર રોપવે સાઈડ પાસે જ વાહનોનું પાકિગ થતું હતું જે વાહનો તળેટી વિસ્તારમાં રાખવા પડશે. ભવનાથ તળેટીમાં પાકિગની પણ કોઈ ખાસ મોટી વ્યવસ્થા નથી જેથી પ્રવાસીઓને વાહન પાકિગની પણ સમસ્યાનો સામનો કરવો પડશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવડવા પાદર દેવકીમાં હથીયારો સાથે શખ્સોએ મચાવ્યો આંતક
May 19, 2025 04:41 PMકલેકટરની રુબરુ મુલાકાત દરમ્યાન લોકો દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રશ્ર્નોની સમીક્ષા કરાઈ
May 19, 2025 04:38 PMચોમાસા પુર્વેની તૈયારીઓ અંગે જિલ્લા કલેકટર દ્વારા વિવિધ વિભાગના અધિકારીઓને કરાઇ તાકીદ
May 19, 2025 04:32 PMસર્વોત્તમ ડેરી દ્વારા ધાર્મિક સ્થળોએ હાથ સફાઈ ઝુંબેશ
May 19, 2025 04:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech