જેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ

  • February 24, 2025 03:46 PM 

જેતપુર–રાજકોટ સિકસ લેન રોડનું કામ ખુબ ધીમી ગતિએ, યોગ્ય ડાયવર્ઝન વગર ચાલતું હોવાથી ઠેરઠેર દરરોજ બે થી ત્રણ કલાકનો ટ્રાફિકજામ સર્જાય છે. જેમાં એમ્બ્યુલન્સ જેવા વાહનો પણ ફસાય જતા હોવાની ફરીયાદ મળતા આજે પરિવહન ખાતાના રાય કક્ષાના મંત્રી અહીં આવેલ અને તેઓએ ફરીયાદના નિવારણ કરવા અધિકારીઓને સૂચના આપી હતી.
 જેતપુર–રાજકોટ સિકસ લેન રોડના કામનું અંદાજીત બે વર્ષથી ચાલુ છે. સિકસ લેન જેવા રોડનું કામ ચોવીસ કલાક ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર ચાલુ તો કરવામાં આવ્યું પરંતુ યોગ્ય પ્રકારના ડાયવર્ઝન વગર એને કારણે દરરોજ જેતપુરથી રાજકોટ વચ્ચે ઠેરઠેર બે થી ત્રણ કલાકનો ટ્રાફિકજામની સ્થિતિ સર્જાય છે. દરરોજના ટ્રાફિકજામથી વાહન ચાલકોના સમય, ઈંધણ અને પૈસાનો વ્યય થાય છે. વાહન ચાલકોની આટઆટલી મુશ્કેલી છતાં કામ ઝડપથી કરવાને બદલે સાવ ધીમી ગતિએ કામ કરવામાં આવી રહ્યું છે. જેતપુરથી રાજકોટ ફોર લેન હતી ત્યારે દોઢ કલાકમાં પહોંચી જતા યારે હાલ રસ્તામાં ટ્રાફિકજામ ન સર્જાય તો ત્રણ કલાક અને ટ્રાફિકજામ સર્જાય તો કલાક ગણવાની જ નહીં. અને આવા ટ્રાફિકજામમાં દર્દીઓને તાત્કાલિક સારવાર માટે લઈ જતી એમ્બ્યુલન્સ પણ દરરોજ ફસાય જાય છે. જેના કારણે દર્દીઓનો જીવ પણ જોખમમાં મુકાય જાય છે. વાહન ચાલકો આટલી મુશ્કેલી ભોગવે છે છતાંય નેશનલ હાઈ વર ઓથોરોટી જેતપુરથી રાજકોટ વચ્ચે બેબે જગ્યા વાહન ચાલકો પાસેથી મસમોટા ટોલ ટેક્ષ તો વસુલતા જ હોવાની ઉપરાંત અન્ય ફરીયાદના અનુસંધાને કેન્દ્રના પરિવહન ખાતાના રાય કક્ષાના મંત્રી અજય ટમ્ટા આજે રાજકોટ આવ્યા હતાં.
પરિવહન મંત્રીએ વાહન ચાલકોને પડતી મુશ્કેલીઓ, દર્દીઓ સહિતની એમ્બ્યુલન્સ દરરોજ ફસાય જતી હોવા અંગે અધિકારીઓને સૂચના આપી દીધી હોવાનું જણાવ્યું હતું. પરિવહન મંત્રી તો આશ્વાસન આપીને છૂટી ગયા પરંતુ વાસ્તવમાં વાહન ચાલકોને આ દરરોજ પડતી મુશ્કેલીમાંથી મુકિત પડશે કે સમસ્યા યથાવત રહેશે તે આગામી સમય જ બતાવશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application