કાલે ભીમ અગ્યારસ: જગત મંદિરે વિશેષ ઉજવણી

  • June 06, 2025 11:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સાજે દિવ્ય પુષ્પ મનોરથ


પવિત્ર યાત્રાધામ દ્વારકા જગત મંદિર ખાતે કાલે નિર્જલા એકાદશી ભીમ અગ્યારસ નીમીતે વિશેષ ઉજવણી કરવામાં આવશે.


દ્વારકાધીશ જગતમંદિરે તા.૦૭-૦૬-ર૦રપ ને શનિવારના રોજ વૈષ્ણવ સંપ્રદાયની પરંપરાનુસાર વારાદાર પૂજારીઓ દ્વારા નિર્જલા એકાદશી (ભીમ અગિયારસ) પર્વની પરંપરાગત રીતે ભવ્ય ઊજવણી કરવામાં આવશે. પૂજારી મનોજભાઈ, નલીનભાઈ, જયેશભાઈ વિ. દ્વારા ઠાકોરજીને અગિયારસ નિમિત્તે વિશિષ્ટ શૃંગાર યોજાશે.

આ ઉપરાંત સાંજે ૫:૦૦ કલાકે ઠાકોરજીના ઉત્થાપન દર્શન દિવ્ય પુષ્પ શૃંગાર મનોરથ પણ યોજવામાં આવનાર છે. તો સર્વે ભાવિકોને આ દિવ્ય દર્શનનો લાભ લેવા પૂજારી પરિવાર દ્વારા તમામ ભક્તજનોને લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application