વર્લ્ડ ફૂડ સેફ્ટી દર વર્ષે 7 જૂને ઉજવવામાં આવે છે.આ દિવસની ઉજવણીનો હેતુ લોકોને ખાદ્ય સુરક્ષાના મહત્વ વિશે શિક્ષિત કરવાનો છે. ખાદ્ય સુરક્ષા દિવસની ઉજવણી ખોરાકથી થતા કોઈપણ પ્રકારના જોખમને ઘટાડવા અને અટકાવવા માટે કરવામાં આવે છે. આ દિવસની ઉજવણીનો હેતુ દરેકને સ્વચ્છ, સલામત, પૌષ્ટિક અને પૂરતો ખોરાક મળી રહે તે સુનિશ્ચિત કરવાનો છે. સમગ્ર વિશ્વમાં ફેલાયેલી ભૂખમરા અને ગરીબીને ધ્યાનમાં રાખીને આ દિવસનું વિશેષ મહત્વ છે.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) અને યુનાઈટેડ નેશન્સનું ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન (FAO) આ દિવસની ઉજવણી માટે દેશો અને અન્ય જૂથો સાથે મળીને કામ કરે છે. વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ એ દરેક વ્યક્તિ માટે મહત્વનો છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તે આપણા સ્વાસ્થ્ય માટે સલામત છે.
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસનો ઇતિહાસ શું છે?
ખાદ્ય અને કૃષિ સંગઠન અને વિશ્વ આરોગ્ય સંસ્થાના સહયોગથી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા 18 ડિસેમ્બરના રોજ વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસ પહેલીવાર 7 જૂન 2019ના રોજ ઉજવવામાં આવ્યો હતો. આ દિવસની ઉજવણીનો ઉદ્દેશ્ય આરોગ્ય, ભૂખમરો અને કૃષિ સંબંધિત ધ્યેયો હાંસલ કરવા સાથે ખાદ્ય સુરક્ષાની જરૂરિયાતો તરફ ધ્યાન દોરવાનો હતો.
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ શા માટે મહત્વપૂર્ણ છે?
ખાદ્ય સુરક્ષા એ કોઈપણ સામાન્ય જનતાનો મૂળભૂત અધિકાર છે. ગંદા અને અસુરક્ષિત ખોરાકમાં હાનિકારક બેક્ટેરિયા, વાયરસ અને રસાયણો હોય છે જે અનેક રોગોને જન્મ આપી શકે છે. જેમાં ડાયેરિયાથી લઈને કેન્સર સુધીની તમામ બાબતોનો સમાવેશ થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન અનુસાર દૂષિત ખોરાક ખાવાથી દર વર્ષે લગભગ 6 મિલિયન લોકો બીમાર પડે છે. તે જ સમયે દૂષિત ખોરાકને કારણે લગભગ ચાર લાખ વીસ હજાર મૃત્યુ થયા છે.
ખાદ્ય સુરક્ષા એ એક મહત્વપૂર્ણ મુદ્દો છે જે દરેકને અસર કરે છે. સ્વચ્છ ખોરાક રોગને અટકાવે છે અને આરોગ્યને પ્રોત્સાહન આપે છે. દૂષિત ખોરાક ખોરાકજન્ય બિમારીઓનું કારણ બની શકે છે. જે બાળકો, સગર્ભા સ્ત્રીઓ, વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિવાળા લોકો જેવી સંવેદનશીલ વસ્તી માટે ખાસ કરીને જોખમી હોઈ શકે છે.
વૈશ્વિક બજારોમાં તેમના ખાદ્ય ઉત્પાદનો સ્વીકાર્ય છે તેની ખાતરી કરવા માટે દેશોએ ખાદ્ય સુરક્ષા ધોરણોનું પાલન કરવું જોઈએ.ખાદ્ય સુરક્ષા અનેક સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ (SDG) સાથે જોડાયેલી છે. જેમાં આરોગ્ય, ભૂખમરો અને આર્થિક વિકાસનો સમાવેશ થાય છે. સારા ખોરાકની ખાતરી આ લક્ષ્યોને હાંસલ કરવામાં ફાળો આપે છે.
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસના ઉદ્દેશ્યો
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં જાગૃતિ ફેલાવવાનો છે. જેથી લોકો માહિતગાર થઈ શકે કે તેઓ જે ખાદ્યપદાર્થો ખાઈ રહ્યા છે તે સ્વચ્છ અને સલામત છે કે નહીં?
આ સાથે, આ દિવસની ઉજવણીનો હેતુ સરકાર, વ્યવસાયો અને ગ્રાહકોને પગલાં લેવા માટે પ્રેરણા આપવાનો છે જેથી કરીને સ્વચ્છ આહાર એક આદત બની શકે.
વિશ્વ ખાદ્ય સુરક્ષા દિવસ એ એક રીમાઇન્ડર છે કે આપણે જે ખોરાક ખાઈએ છીએ તેને સુરક્ષિત બનાવવામાં દરેકની ભૂમિકા છે. ખાદ્ય સુરક્ષાના મહત્વથી વાકેફ રહીને, ખોરાકજન્ય બીમારીઓને રોકવામાં અને દરેક માટે સારા સ્વાસ્થ્યને પ્રોત્સાહન આપવામાં મદદ કરી શકીએ છીએ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબદ્રીનાથ-કેદારનાથ માટે ઓનલાઈન પૂજા બુકિંગ શરૂ, પહેલા દિવસે બંને ધામોમાં 93 પૂજા બુક
April 10, 2025 09:53 PMધોની ફરી CSKના કેપ્ટન બન્યા, ગાયકવાડ ઈજાના કારણે IPLમાંથી બહાર
April 10, 2025 08:57 PMસફેદ દાઢી-વાળ, બ્રાઉન જમ્પસૂટ... ભારતમાં આવ્યા બાદ તહવ્વુર રાણાની પ્રથમ તસવીર આવી સામે
April 10, 2025 08:45 PMજામનગરના નાની ખાવડીના ગ્રામજનો દ્વારા અનંત અંબાણીના જન્મદિવસની ઉજવણી
April 10, 2025 07:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech