દર વર્ષે સાંજે શ્રીજીના બાલસ્વપને ગર્ભગૃહથી બહાર નિજસભામાં નૌકાવિહાર કરાશે
દ્વારકાના જગતમંદિરમાં આજે ઠાકોરજીને જેષ્ઠાભિષેક (ખુલ્લાં પડદે સ્નાન) કરવામાં આવ્યા. જગતમંદિરમાં દર વર્ષે જેઠ માસમાં જયેષ્ઠા નક્ષત્રમાં શ્રીજીની મંગલા આરતી બાદ જયેષ્ઠાભિષેક કરવામાં આવે છે.
આજે મંગલા આરતી બાદ સવારે ૮.૦૦ કલાકે ઠાકોરજીનો જયેષ્ઠાભિષેક કરવામાં આવ્યો હતો, જેમાં શ્રીજીનુ ઋતુનુસાર અમૃત (આંબા) તેમજ અઘોર કુંડના પવિત્ર જલથી જલાભિષેક કરાયો હતો, પૂજારીઓ દ્વારા સાંજના સમયે શ્રીજીના બાલ સ્વપ ગોપાલજીને મંદિરના ગર્ભગૃહથી બહાર નિજસભામાં નૌકાવિહાર કરાવવામાં આવશે.
જયેષ્ઠાભિષેક ઉત્સવ વિશે માહિતી આપતા દ્વારકાધીશ મંદિરના પ્રણવભાઈ પૂજારીએ જણાવ્યુ કે, વર્ષમાં જન્માષ્ટમી અને જયેષ્ઠ પૂર્ણિમાં એમ માત્ર બે વખત જ ઠાકોરજીને ખુલ્લાં પડદે અભિષેક સ્નાન કરાવવામાં આવે છે જેમાંના એક એવા જયેષ્ઠાભિષેક ઉત્સવ હોય જેનું વિશેષ મહત્વ છે.
બહારગામના ભાવિકો તેમજ બહોળી સંખ્યામાં સ્થાનીકો અને ઓનલાઈનના માધ્યમથી લાખો શ્રધ્ધાળુઓ જયેષ્ઠાભિષેક તેમજ ત્યારબાદ સાંજના સમયે બાલસ્વરૂપના નૌકાવિહાર દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી. જગત મંદિરમાં શ્રીજીના જયેષ્ઠાભિષેક ઉત્સવ નિમિતે જલયાત્રા ઉત્સવની પૂર્વ તૈયારી રૂપે ગતસાંજે જગતમંદિરના પૂજારી પરિવારના પુરૂષો તથા મહિલાઓ દ્વારા ચાંદીના બેડાં, ચાંદીની તાંબડી તેમજ વિવિધ ચાંદીના વાસણોમાં દ્વારકાના અતિ પ્રાચીન અને પવિત્રશ્રી ભદ્રકાલી માતાજીના મંદિર પાસેના અઘોર કુંડમાંથી પૂજા કરી કુંડના પવિત્ર જલને શાસ્ત્રોકત વિધિથી બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે શહેરના રાજમાર્ગો પર થઈ જગતમંદિર ખાતે લઈ જવામાં આવ્યા.
ગ્રીષ્મ ઋતુમાંથી વર્ષા ઋતુ આવતી હોય આ પવિત્ર જલને વિવિધ ઔષધિયુકત બનાવી રાત્રિ અધિવાસન કરી આજે આ પવિત્ર જલથી ઠાકોરજીને જલાભિષેક કરાશે તેમજ સાંજના સમયે જગત મંદિરમાં પવિત્ર જલથી જલ કુંડ ભરવામાં આવશે જેમાં ભગવાનનું બાલ સ્વપ ગોપાલજીને નાવમાં બિરાજમાન કરી નૌકા ઉત્સવ એટલે જલ યાત્રા ઉત્સવ મનોરથ ઉજવાશે.
દ્વારકાધીશજીના દર્શન સમયમાં ફેરફાર જગતમંદિરમાં શ્રીજીના જેષ્ઠાભિષેક ઉત્સવ નિમિતે ઠાકોરજીના નિત્યક્રમમાં જરી ફેરફાર નોંધાયો છે. શૃંગાર આરતી તેમજ અનોસર (બંધ) નિત્યક્રમાનુસાર યોજાશે. ઉત્સવ તેમજ ઉત્થાપન દર્શન સાંજે ૫ કલાકે તથા જલયાત્રા (નૌકાવિહાર) દર્શન સાંજે ૯.૩૦ સુધી યોજવામાં આવનાર છે.
દર વર્ષની જેમ જેઠ સુદ પૂર્ણિમાના દિવસે ઠાકોરજીને ખુલ્લા પડદે જેેષ્ઠાભિષેક કરવામાં આવે છે તે જ રીતે બેટ-દ્વારકામાં પણ ઠાકોરજીને ખુલ્લા પડદે જેષ્ઠાભિષેક કરાયો હતો. ભક્તોએ શ્રીજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. તેમજ ઓનલાઇનના માઘ્યમથી પણ લાખો ભક્તોએ અનેરા સ્વપના દર્શન નિહાળ્યા હતા.