ગુરૂ ગોવિંદસિંઘ સરકારી હોસ્પિટલ જામનગર ખાતે તમાકુ મુક્તિ કેન્દ્રનું ઉદ્ઘાટન કરાયું
જામનગર તા.૨૬ સપ્ટેમ્બર, શ્રી એમ.પી.શાહ સરકારી મેડીકલ કોલેજ તથા ગુરુ ગોબિંદસિંગ સરકારી હોસ્પિટલ, જામનગર ખાતે આરોગ્ય વિભાગની માર્ગદર્શિકા અનુસાર તમાકુ મુક્તિ કેન્દ્રનું ઈ.ચા. ડીનશ્રી તથા તબીબી અધિક્ષકશ્રીના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.“Tobacco Free Youth Campaign 2.0” અંતર્ગત વર્ચુઅલ માધ્યમથી મંત્રાલય સાથે જોડાઈને યુનિયન મંત્રીશ્રી આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નવી દિલ્હીની અધ્યક્ષતામાં આ ઉદ્દઘાટન સમારોહ યોજવામા આવ્યો હતો.જેમાં ઉપસ્થિત સૌ કોઈએ તમાકુ મુક્ત સમાજનું ઘડતર કરવા અંગેના શપથ લીધા હતા.આ કાર્યક્રમમાં સાઈક્રિયાટ્રી વિભાગ અને કોમ્યુનીટી મેડીસીન વિભાગના તજજ્ઞો તથા વિવિધ સ્ટાફગણ હાજર રહેલ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech