આંધ્રપ્રદેશના તિરુપતિ મંદિરમાં ઉપલબ્ધ લાડુના પ્રસાદના ઘીમાં જાનવરોની ચરબી મળવાથી દરેક વ્યક્તિ ચિંતિત છે. આને હિન્દુઓની આસ્થા પર મોટો હુમલો કહેવામાં આવી રહ્યો છે. ત્યારે આ વિવાદ પછી કર્ણાટક પણ એક્શનમાં આવ્યું છે.
કર્ણાટક સરકાર પણ એક્શનમાં
કર્ણાટકની સિદ્ધારમૈયા સરકારે એક નિર્દેશ જારી કરીને રાજ્યની મંદિર વ્યવસ્થાપન સંસ્થા હેઠળના તમામ 34,000 મંદિરોમાં નંદિની બ્રાન્ડ ઘીનો ઉપયોગ ફરજિયાત બનાવ્યો છે.
કર્ણાટક સરકારના નવા નિર્દેશ અનુસાર, તેના અધિકારક્ષેત્ર હેઠળના તમામ મંદિરોને મંદિરની ધાર્મિક વિધિઓમાં, જેમ કે દીવા પ્રગટાવવા, પ્રસાદ તૈયાર કરવા અને 'દસોહા ભવન' (જ્યાં ભક્તોને ભોજન પીરસવામાં આવે છે)માં માત્ર નંદિની ઘીનો ઉપયોગ કરવાનું કહેવામાં આવ્યું છે.
મંદિરના કર્મચારીઓને આ આદેશ
કર્ણાટક સરકારે મંદિરના કર્મચારીઓને એ સુનિશ્ચિત કરવાનો આદેશ આપ્યો છે કે, 'પ્રસાદ'ની ગુણવત્તા સાથે ક્યારેય બાંધછોડ ન થાય. કર્ણાટક રાજ્યના ધાર્મિક એન્ડોમેન્ટ્સ વિભાગ હેઠળના તમામ સૂચિત મંદિરોમાં, સેવા, દીવા અને તમામ પ્રકારના પ્રસાદની તૈયારીમાં અને દસોહા ભવનમાં માત્ર નંદિની ઘીનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
લાડુના પ્રસાદમાં મળતી ચરબીને લઈને હોબાળો
તિરુપતિના પ્રસિદ્ધ વેંકટેશ્વર સ્વામી મંદિરમાં લાડુ બનાવવા માટે પ્રાણીની ચરબીના કથિત ઉપયોગ અંગેના મોટા વિવાદ બાદ આ નિર્દેશ આવ્યો છે. તેનું સંચાલન તિરુમાલા તિરુપતિ દેવસ્થાનમ (TTD) દ્વારા થાય છે.
આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુએ મંદિરમાં વપરાતા ઘીની ગુણવત્તા અંગે ચિંતા વ્યક્ત કરી અને દાવો કર્યો કે નમૂનાઓમાં ટેલો અને અન્ય પ્રાણીની ચરબીની હાજરી મળી આવી હતી.
રોજના લગભગ 3 લાખ લાડુ બનાવવામાં આવે
જણાવી દઈએ કે તિરુપતિ મંદિરના રસોડામાં દરરોજ લગભગ 3 લાખ લાડુ બનાવવામાં આવે છે. તેને બનાવવા માટે મોટી માત્રામાં ઘટકોની જરૂર પડે છે, જેમાં કાજુ, કિસમિસ, એલચી, ચણાનો લોટ અને ખાંડ જેવી અન્ય આવશ્યક ચીજો સાથે 1,400 કિલો ઘીનો સમાવેશ થાય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેશભરમાં વોટ્સએપ સેવા ઠપ્પ, ગ્રુપમાં મેસેજ નથી જઈ રહ્યા, કોલ પણ નથી થઈ રહ્યો
April 12, 2025 08:58 PMપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech