ગ્રીન ટી પીવી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. આ માટે લોકો બજારમાંથી ગ્રીન ટી લાવીને તેનો ઉપયોગ કર્યા પછી ફેંકી દે છે. પરંતુ શું તમે જાણો છો કે, તેને ફેંકવાને બદલે તેનો ઉપયોગ અન્ય હેતુઓ માટે પણ કરી શકો છો.
ગ્રીન ટી કેમેલીયા સિનેન્સીસ નામના છોડના પાંદડાને સૂકવીને બનાવવામાં આવે છે. તેના સૂકા પાંદડા અને કળીઓ વિવિધ પ્રકારની ચા બનાવવા માટે વપરાય છે. જેમાં ઉલોંગ અને બ્લેક ટીનો સમાવેશ થાય છે. તે એન્ટીઑકિસડન્ટોથી સમૃદ્ધ છે, જે શરીરને મુક્ત રેડિકલથી સુરક્ષિત કરે છે. તેનું નિયમિત સેવન વજન ઘટાડવામાં પણ મદદ મળે છે. આ સાથે તે માનસિક સ્વાસ્થ્યને મજબૂત બનાવવામાં અને હૃદયની તંદુરસ્તી જાળવવામાં મદદ કરે છે. ગ્રીન ટીના આ ગુણોને લીધે આજે મોટાભાગના લોકોએ તેનું સેવન કરવાનું શરૂ કરી દીધું છે. પરંતુ ટી બેગનો ઉપયોગ કર્યા પછી પણ તેમાં ઘણી બધી ગ્રીન ટી બાકી રહે છે. જેને ફેંકી દેવાને બદલે તેને કેટલાક હેતુઓ માટે ફરીથી ઉપયોગ કરી શકો છો. આપણે આ લેખમાં આ વિશે જાણીશું. ચાલો જાણીએ.
ગ્રીન ટી બેગનો ઉપયોગઃ
ફેસ પેક- ગ્રીન ટી બેગને ઠંડુ કરીને ચહેરા પર લગાવો. તે ત્વચાને તાજગી અને ચમક આપે છે. ઉપરાંત સોજો ઘટાડે છે.
આંખની સંભાળ - ટી બેગને રેફ્રિજરેટરમાં ઠંડુ કરો અને તેને સોજી ગયેલી આંખો પર મૂકો. તેનાથી ડાર્ક સર્કલ અને સોજો ઓછો થાય છે.
છોડનું ખાતર - વપરાયેલી ગ્રીન ટી બેગને છોડની જમીનમાં મિક્સ કરો. તે જમીનની ખાતર ક્ષમતામાં વધારો કરે છે અને છોડને પોષણ પૂરું પાડે છે.
ફ્રીજમાંથી દુર્ગંધ કરો દૂર - ગ્રીન ટી બેગને ફ્રીજમાં રાખવાથી તે ખરાબ ગંધને શોષી લે છે, જેના કારણે ફ્રિજમાંથી દુર્ગંધ આવતી નથી.
વાળની સંભાળઃ- ગ્રીન ટી બેગને પાણીમાં ઉકાળો અને તેનાથી વાળ ધોઈ લો. તે વાળને ચમકદાર અને મજબૂત બનાવે છે અને ડેન્ડ્રફ પણ ઘટાડે છે.
પગમાંથી દુર્ગંધ કરો દૂર - ગ્રીન ટી બેગને ગરમ પાણીમાં નાખો અને તમારા પગને તેમાં પલાળી દો. તે દુર્ગંધને દૂર કરે છે અને પગને આરામ આપે છે.
જંતુઓથી રક્ષણ- ઘરના ખૂણામાં વપરાયેલી ગ્રીન ટી બેગ રાખો. તેની ગંધ મચ્છર અને જંતુઓને દૂર રાખવામાં મદદ કરે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationMonsoon Update: ચોમાસું વહેલું કેમ આવ્યું? સમજો ચોમાસાનું આખુ સાયન્સ
May 25, 2025 08:43 PMપાકિસ્તાનમાં વિનાશકારી વરસાદ અને તોફાન: 20 લોકોના મોત, જનજીવન અસ્તવ્યસ્ત
May 25, 2025 08:41 PMCBSEની નવી માર્ગદર્શિકા: બાળકોના સર્વાંગી વિકાસ માટે માતૃભાષાનું શિક્ષણ
May 25, 2025 08:39 PMશાહજહાંપુર જિલ્લા હોસ્પિટલમાં ગેસ લીક: દર્દીઓમાં નાસભાગ
May 25, 2025 08:38 PMદહેજમાં કેમિકલ કંપનીમાં વિકરાળ આગ: "મેજર કોલ" જાહેર
May 25, 2025 08:36 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech