ચાર દિવસમાં કામ કરતી વખતે શ્રમિકના અકસ્માતે મૃત્યુ થવાની ત્રીજી ઘટના

  • May 14, 2025 03:14 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શહેરના રામકૃષ્ણ આશ્રમ નજીક મધુવીણા એપાર્ટમેન્ટના પાંચમા માળે સ્લેબ ભરવાનું કામ ચાલતું હોય દરમિયાન કડિયાકામ કરતા શ્રમિકનું નીચે પટકાતા ગંભીર ઇજા થવાથી મોત નીપજ્યું છે.


પ્રાપ્ત વિગત મુજબ મૂળ ઓરિસ્સાનો અને હાલ ભક્તિનગર સ્ટેશન પ્લોટ નં-4 પાસે રહેતો પૂર્ણાભાઈ ટીકામાજી આદિવાસી (ઉ.વ.40)નપ યુવક ગઈકાલે બપોરે ડો,યાજ્ઞિક રોડ પર આવેલા રામકૃષ્ણ આશ્રમના ગેટ નંબર-3 પાસે આવેલા મધુવીણા એપાર્ટમેન્ટમાં પાંચમા માળે સ્લેબ ભરવાનું કામ કરતો હતો ત્યારે સિમેન્ટનો માલ પાવડાથી સરખો કરવા જતા શરીરનું બેલેન્સ ગુમાવી દેતા નીચે પટકાયો હતો. ઘટનાના પગલે શ્રમિકો અને આસપાસના લોકો દોડી ગયા અને 108ને જાણ કરી હતી. યુવકને ગંભીર ઇજા થવાથી 108ના સ્ટાફે જોઈ તપાસી મૃત જાહેર કરી પોલીસને જાણ કરતા એ ડિવિઝન પોલીસ દોડી ગઈ હતી મૃતદેહને પીએમ માટે સિવિલમાં ખસેડી જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતકને સંતાનમાં એક દીકરો દીકરી છે. બનાવથી પરિવારમાં કલ્પાંત સર્જાયો. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાર દિવસમાં શ્રમિકોના અકસ્માતે મોત થયાની આ ત્રીજી ઘટના છે. ત્રણ દિવસ પહેલા પંચનાથ પ્લોટ પાસે જૈન દેરાસર માં લિફ્ટનું કામ કરતી વખતે વીજકરંટ લાગતા યુવક બીજા માળેથી પટકાતા મોત થયું હતું. જયારે ગઈકાલે કણકોટ ગામે વાડીમાં સેન્ટીંગ કામ કરતા સળિયો વીજલાઇનને અડી જતા શ્રમિકને વીજ કરંટ લાગવાથી મોત થયાનો બનાવ નોંધાયો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application