તાજેતરમાં અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલા ૧૨ માળના પરિષ્કાર ફલેટ્સમાં પાંચમા માળે તેમજ સુરતના વેસુ ખાતે આવેલા ૧૧ માળના હેપી એક્સેલેન્સિયા એપાર્ટમેન્ટના આઠમા માળે ભયંકર આગ ભભૂકી ઉઠતા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી ફાયર બ્રિગેડએ ફ્લેટધારકોના જીવ બચાવ્યા હતા, ગુજરાત રાજ્યના બે મહાનગરોમાં હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાં ભભૂકેલી આગ સાથે જ ધુળેટીના સપરમા દિવસે પશ્ચિમ રાજકોટના એટલાન્ટિસ એપાર્ટમેન્ટ અગ્નિકાંડની યાદો તાજી થઇ છે. દરમિયાન આજથી શહેરમાં ફરી હાઇરાઇઝ અને લોરાઇઝ સહિતના તમામ એપાર્ટમેન્ટ અને કોમ્પ્લેક્સમાં ફરી ચેકિંગ શરૂ કરાયું હોવાનું જાણવા મળે છે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અમિત દવેનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે એટલાન્ટિસ હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાં આગ લાગ્યાની ઘટના બાદ સતત ચેકિંગનો દોર જારી છે અને હવે હાઇરાઈઝની સાથે લોરાઈઝ એપાર્ટમેન્ટ તેમજ કોમ્પ્લેક્સમાં પણ ચેકિંગ શરૂ કરાયું છે અને ફાયર સેફટી ન હોય તેવા બિલ્ડીંગને ઓન ધ સ્પોટ નોટિસ ફટકારવામાં આવી રહી છે, હાલ સુધીમાં સમગ્ર શહેરમાં અંદાજે કુલ ૮૦૦ એપાર્ટમેન્ટને ફાયર બ્રિગેડ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આજથી ૧૧ મહિના પૂર્વે શહેરના કાલાવડ રોડ ઉપરના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ બાદ શહેરમાં સઘન ચેકિંગ ડ્રાઇવ હાથ ધરીને ફાયર સેફટી ન હોય તેવી અનેક મિલકતો અને સંકુલો સીલ કરાયા હતા તે દરમિયાન એવો મામલો સામે આવ્યો હતો કે રાજકોટ મહાપાલિકાની મુખ્ય કચેરી કે જ્યાં આગળ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક નેતા, દંડક અને પેટા કમિટિઓના ચેરપર્સન તેમજ મ્યુનિસિપલ કમિશનર વિગેરે ઉચ્ચ અધિકારીઓ બેસે છે તે ઢેબર રોડ સ્થિત સેન્ટ્રલ ઝોન કચેરીમાં ફાયર સેફટીની સુવિધા નથી ! દરમિયાન હાલમાં મહાપાલિકા કચેરીમાં ફાયર સેફટી સિસ્ટમનું ફિટિંગ શરૂ કરાયું છે. હાલમાં મેયર અને સ્ટે.ચેરમેન વિગેરે બેસે છે તે બિલ્ડીંગની સીડીમાં અગ્નિ શમન માટેના પાઇપનું ફિટિંગ કરવા ડ્રિલિંગ ચાલી રહ્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 119 નવા કેસ, એક્ટિવ કેસ 500ને પાર
June 04, 2025 08:07 PMબેંગલુરુ દુર્ઘટના પર PM મોદીએ વ્યક્ત કર્યું દુઃખ: 'ઘાયલો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના'
June 04, 2025 08:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech