ભાવપરા ગામે આવળ માતાજીના મંદિરે થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

  • June 05, 2025 02:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


પોરબંદરના ભાવપરા ગામે આવળ માતાજીના મંદિરમાં થયેલ દાનપેટીમાંથી ચોરીનો ભેદ ઉકેલીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે કોડીનાર પંથકના એક ઇસમને પકડી લીધો છે અને તેના અન્ય ત્રણ સાગરીતોના નામ ખૂલતા પોલીસે તેમની શોધખોળ પણ હાથ ધરી છે. 



મહત્વની બાબત એ છે કે આ તસ્કરો સામે અત્યાર સુધીમાં ૨૦ જેટલા ગુન્હા નોંધાઇ ચૂકયાનું પોલીસ તપાસમાં ખૂલ્યુ છે.જિલ્લામાં વધુ ચોરી થાય તે પહેલા આરોપીને પકડી લેવામાં સફળતા મળતા ઉચ્ચ પોલીસ અધિકારીઓએ એલ.સી.બી.ની ટીમને  અભિનંદન આપ્યા છે.



આવળ માતાજીના મંદિરે ૨૬-૫ના રાત્રે થઇ હતી ચોરી
જૂનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા દ્વારા અનડીટેકટ મિલ્કત સંબંધી ગુન્હાઓ શોધી કાઢવા માટે વખતોવખત આપેલ સુચના  અનુસાર એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર આર.કે.કાંબરીયાના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો અનડીટેકટ મિલ્કત સંબંધી ગુનાઓ ડીટેકટ કરવા સતત પ્રયત્નશીલ હતા દરમ્યાન ગઇ તા. ૨૬-૫-૨૦૨૫ના રોજ ભાવપરા ગામે આવેલ આવળ માતાજીના મંદિરમા ં રાત્રિના  સમયે અજાણ્યા ચોર ઇસમો દ્વારા મંદિરમાં રાખેલ દાનપેટીમાંથી રોકડા ‚પિયાની ચોરી કરવામંા આવેલ હતી. 



એલ.સી.બી.એ ૨૫ સી.સી.ટી.વી. ફૂટેજ તપાસ્યા
 જે ચોરીના બનાવ બાબતે બગવદર પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુન્હો રજીસ્ટર થયેલ હોય અને સદરહુ અનડીટેકટ ચોરીનો ગુન્હો ડીટેકટ કરવા બનાવવાળી જગ્યાના સી.સી.ટી.વી. ફૂટેજ તપાસ કરી આસપાસના ૨૫ જેટલા સી.સી.ટી.વી. ફૂટેજ ચેક કરી ફૂટેજના આધારે આરોપીની ભાળ મેળવી તપાસ કરી રહેલ હતા.



હાર્બર મરીન વિસ્તારમાંથી થઇ ધરપકડ
તે દરમ્યાન રણજીતસિંહ દયાતર તથા મુકેશભાઇ માવદીયાને ખાનગી રાહે મળેલ હકીકતના આધારે , આ ચોરીનો આરોપી અજય જીજાભાઇ બચુભાઇ સોલંકી ઉ.વ. ૨૬ રહે. કોડીનાર બાયપાસ ૫૧૨ કવાર્ટર પાસે ઝૂંપડપટ્ટી વિસ્તાર તા. કોડીનાર, જી. ગીરસોમનાથવાળો હાલમાં હાર્બર મરીન પોલીસની હદમાં છે અને પસાર થવાનો છે. તેથી પોલીસે તાત્કાલિક ત્યાં જઇને મંદિરની દાનપેટીમાંથી ચોરી કરેલ રોકડા ‚ા. ૧૩,૧૧૦ તથા ચોરી કરવામા ઉપયોગ કરેલ હોન્ડા કંપનીનું કાળા કલરનું લાલ પટ્ટાવાળુ મોટરસાઇકલ કિ.‚ા. ૫૦,૦૦૦ તથા મજકુરની અંગજડતીમાંથી મળેલ મોબાઇલ ફોન નંગ-૧ કિં.‚ા. ૧૦૦૦ ગણી તપાસ અર્થે મજકુરને ઉપરોકત માલસામાન સાથ ે બગવદર પોલીસ સ્ટેશન સોંપી આપી ગણતરીના દિવસોમાં મંદિરની દાનપેટી તોડી ‚પિયાની અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરી સરાહનીય કામગીરી કરેલ છે. 


પોલીસની કામગીરીને બિરદાવાઇ
પોરબંદર જિલ્લામાં જુદા-જુદા ધાર્મિકસ્થળોએ વધુ ચોરી થાય તે પહેલા એલ.સી.બી.ની ટીમે આરોપીને પકડી લીધો હોવાથી ઉચ્ચ પોલીસ અધિકારીઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને બિરદાવી હતી.આ કામગીરીમાં એલ.સી.બી. ઇન્ચાર્જ પી.આઇ. આર. કે. કાંબરીયા તથા એ.એસ.આઇ. બટુકભાઇ વિંઝુડા, રાજેન્દ્રભાઇ જોષી, રણજીતસિંહ દયાતર, ગોવિંદભાઇ મકવાણા, મુકેશભાઇ માવદીયા, હેડ કોન્સ્ટેબલ ઉદયભાઇ વ‚, સલીમભાઇ પઠાણ, ઉપેન્દ્રસિંહ  જાડેજા, હીમાંશુભાઇ મકકા, કુલદીપસિંહ જાડેજા, વિપુલભાઇ ઝાલા, લક્ષ્મણભાઇ ઓડેદરા, જીતુભાઇ દાસા તથા વુમન એ.એસ.આઇ.  ‚પલબેન લખધીર તથા વુમન હેડ કોન્સ્ટેબલ નાથીબેન કુછડીયા, પોલીસ કોન્સ્ટેબલ નટવરભાઇ ઓડેદરા, વીરેન્દ્રસિંહ પરમાર, અજયભાઇ ચૌહાણ, ડ્રાઇવર રોહિતભાઇ વસાવા રોકાયેલા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application