પોરબંદરના પક્ષી અભયારણ્યની દિવાલ બહાર બે વર્ષ પહેલા સુંદર મજાના ચિત્રોનું સર્જન કરવામાં આવ્યું હતું પોરબંદરના ચિત્રકારોએ આ દિવાલો ઉપર પર્યાવરણ અને પ્રકૃતિ બચાવવા સહિત પક્ષી સૃષ્ટિ અને વન્ય સૃષ્ટિ વિશેની જનજાગૃતિ માટે અવનવા ચિત્રો દોર્યા હતા. પરંતુ આ ચિત્રોની આજુબાજુમાં રાત્રિના સમયે તાપણા કરતા શખ્સોએ એ ચિત્રોને નુકસાન પહોંચાડ્યું છે એટલું જ નહીં પરંતુ દીવાલો ઉપર જાત જાતના લખાણ લખ્યા છે. આ વિસ્તાર રાત્રિના સમયે આવારા તત્ત્વોનો અડ્ડો બની જાય છે અને ધૂમ સ્પીડે નબીરાઓ કાર ચલાવવા સહિત બાઈક ચલાવે છે. આ રહેણાંક વિસ્તાર છે અને ત્યાં આ રીતે થતી હરકતો સામે પોલીસે હવે કડક પગલાં ભરવા જરી બન્યા છે અને વન વિભાગની જ પક્ષી અભયારણ્યની દિવાલ ઉપર ચિત્રોને નુકસાન થયું છે તેથી જંગલ ખાતાએ પણ આ મુદ્દે તપાસ હાથ ધરવી જોઈએ અને જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઈએ તે ઇચ્છનીય છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech