જામનગરમાં ધરાર નગર વિસ્તારમાં આવેલા વીર સાવરકર આવાસમાં આઠમાળના બિલ્ડિંગના ચોથા માળે રહેતા એક યુવાનની અનૈતિક સંબંધોના કારણે છરી વડે હુમલો કરી હત્યા નિપજાવાઈ હતી. જે હત્યા નીપજાવનારા બે આરોપીઓની ઉપરાંત મૃતકની પત્નીની પણ પોલીસ દ્વારા ધરપકડ કરી લેવામાં આવી હતી, જેને જેલમાં ધકેલી દેવાઈ છે.
જામનગરમાં ધરારનગર નજીક વીર સાવરકર આવાસમાં રહેતા ઇકબાલભાઈ ગનીભાઈ કુરેશી નામના ૩૫ વર્ષના યુવાનની હત્યા નિપજાવવા અંગે ઇમ્તિયાઝ બસીરભાઈ જોખિયા અને કિશન કિશોરભાઈ ચૌધરી ની અટકાયત કરી લઈ ચાર દિવસના ચાર દિવસના રિમાન્ડ પર લેવાયા છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન મૃતક યુવાનની પત્ની કરિશ્મા સાથે આરોપી ઈમ્તીયાઝ ને અનૈતિક સંબંધો હોવાથી તેમાં આડખીલી રૂપ પતિ નું કાસળ કાઢી નાખવા માટે બનાવની રાત્રે બંને આરોપીઓ તેના ઘેર પહોંચ્યા હતા, અને છરી વડે હુમલો કરી દઈ હત્યા નિપજાવી હતી.
આ પ્રકરણમાં મૃતકની પત્ની કરીશમા પણ સંડોવાયેલી હોવાથી સીટી બી. ડિવિઝન પોલીસ દ્વારા મૃતકની પત્ની કાશ્મીરા ઈકબાલભાઈ કુરેશી ની પણ અટકાયત કરી લેવામાં આવી હતી. જેને અદાલત સમગ્ર રજૂ કરાયા પછી જેલ હવાલે કરાઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહૈદરાબાદે IPLમાં બીજો સૌથી મોટો સ્કોર ચેઝ કર્યો, પંજાબને 8 વિકેટે હરાવ્યું
April 12, 2025 11:34 PMLSG vs GT IPL 2025: લખનૌ સુપર જાયન્ટ્સ 6 વિકેટથી જીત્યું ગુજરાતની હાર
April 12, 2025 09:42 PMUS ટેક કંપનીઓને રાહત, ટ્રમ્પે સ્માર્ટફોન, કમ્પ્યુટર્સને રેસિપ્રોકલ ટેરિફમાંથી આપી છૂટ
April 12, 2025 09:15 PMદેશભરમાં વોટ્સએપ સેવા ઠપ્પ, ગ્રુપમાં મેસેજ નથી જઈ રહ્યા, કોલ પણ નથી થઈ રહ્યો
April 12, 2025 08:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech