હવામાન ખાતાની અમદાવાદ ખાતે આવેલી ગુજરાતની ક્ષેત્રિય કચેરીની વેબસાઈટ ગત તારીખ 5 મે પછી અપડેટ કરવાનું બંધ કરી દેવાયું હોવાથી ચોમાસાની સિઝનમાં ક્યાં કેટલો વરસાદ પડશે અને વરસાદ માટેનું તથા દરિયામાં માછીમારો માટેનું શું એલર્ટ છે તેની કોઈ માહિતી ઉપલબ્ધ થતી નથી.
ચોમાસાની સિઝનમાં સરકાર દ્વારા દરેક જિલ્લા અને તાલુકા મથકોએ કંટ્રોલરૂમ શરૂ કરી દેવાયા છે અને ચોમાસા દરમિયાન બચાવ અને રાહતની કામગીરીમાં કોઈ કસર ન રહે તે માટે અત્યારથી જ આગોતરા આયોજન થઈ રહ્યા છે. બીજી બાજુ જ્યાંથી માહિતીનું ફીડબેક મળવાનું છે તે હવામાન ખાતાની ક્ષેત્રિય કચેરી ની વેબસાઈટ અપડેટ કરવાનું બંધ કરી દેવાયું છે. અમદાવાદની હવામાન ખાતાની આ વેબસાઈટમાં કોઈ જાતની માહિતી મળતી ન હોવાથી સરકારી અધિકારીઓ અને આ પ્રકારની કામગીરી સાથે સંકળાયેલા લોકો માટે બીજો આધાર રાખવો પડે છે. આ વેબસાઈટ સાવ અપડેટ નથી કરાતી તેવું પણ નથી, દરરોજની મહત્તમ અને લઘુતમ તાપમાનની, વાતાવરણમાં ભેજના પ્રમાણની વગેરે બાબતો અપડેટ થાય છે. પરંતુ સ્ટેટ ફોર કાસ્ટ, ડિસ્ટ્રિક્ટ ફોરકાસ્ટ, મીડિયા ફોરકાસ્ટ જેવા વિભાગો સંપૂર્ણ બંધ કરી દેવાયા છે અને જૂની માહિતી ઉપલબ્ધ હોય છે.
વરસાદ ક્યારે આવશે અને બીજી શું ચેતવણી છે તે બાબતે હવામાન ખાતાની ક્ષેત્રિય કચેરીના અધિકારીઓ ઇલેક્ટ્રોનિક મીડિયા સામે દરરોજ બાઈટ આપે છે. પરંતુ વેબસાઈટ અપડેટ કરવાનું કેમ કોઈને સુઝતું નહીં હોય તેવા સવાલો પણ પૂછાઇ રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech