ગુજરાતમાં જંત્રીના દરોમાં ફેરફાર કરવાની અને સાયન્ટિફિક રીતે દરો નક્કી કરવાની કાર્યવાહી પૂર્ણ થઈ છે અને જુલાઇના અંત કે ઓગષ્ટમાં નવા સુધારેલા દરો જાહેર થવાની સંભાવના છે. આ પ્રક્રિયા ગઇ દિવાળીમાં શરૂ કરવામાં આવી હતી પરંતુ લોકસભાની ચૂંટણી હોવાથી ચાર-પાંચ મહિના સુધી સ્થગિત કરાઇ હતી.
સચિવાલયના વર્તુળોએ જણાવ્યું હતું કે ગયા વર્ષે જ્યારે જંત્રીના દરો લાગુ કરવામાં આવ્યા ત્યારે કેટલીક વિસંગતતા જોવા મળી હતી. માર્કેટ રેટ અને જંત્રી રેટના તફાવત દૂર કરવા માટે સાયન્ટિફિક રીતે વેલ્યૂ ઝોનના આધારે સર્વેક્ષણ શરૂ કરવામાં આવ્યું હતું. એ સમયે દિવાળીના સમયમાં ફેરફાર કરેલી જંત્રાન દરો લાગુ કરવાની વિચારણા હતી પરંતુ 2024માં લોકસભાની ચૂંટણી આવી રહી હોવાથી તે સમયે દરોમાં ફેરફારનો નિર્ણય લેવાયો ન હતો.
આ પ્રક્રિયામાં સરકારના કેટલાક અધિકારીઓની ટીમ મહારાષ્ટ્ર અને મુંબઇમાં મોકલવામાં આવી હતી, જ્યાં તેમણે જંત્રીની પદ્ધતિનો અભ્યાસ કર્યો હતો. જંત્રીને એગ્રીકલ્ચર, ઇન્ડસ્ટ્રીયલ અને અન્ય જમીન એમ કુલ ત્રણ કેટેગરીમાં વિભાજિત કરવામાં આવેલી છે. વેલ્યૂએશન થયા પછી જે તે વિસ્તારની જમીનોના ભાવને ધ્યાને રાખી ફેરફાર કરવામાં આવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે રાજ્યમાં જંત્રીનું માળખું બદલાવાની તૈયારીમાં છે અને સંભવત: જુલાઇ કે ઓગષ્ટ મહિનામાં તેની જાહેરાત થઇ શકે તેમ છે. જંત્રીના નવા પ્લાન પ્રમાણે મહાનગરોમાં વિકસિત વિસ્તારોમાં બજાર ભાવ પ્રમાણે દરો નિયત કરવામાં આવ્યા છે અને વિકાસની ઓછી તકો રહેલી છે તેવા વિસ્તારમાં જંત્રીના દરોમાં ઘટાડો પણ કરવામાં આવ્યો છે.
બીજીતરફ શહેરી વિસ્તારની સરખામણીએ ગ્રામ્ય વિસ્તારમાં ઘણી જગ્યાએ જંત્રીના હાલના દરોમાં ઘટાડો પણ થઇ શકે તેવી સંભાવના છે. જંત્રીના દરોમાં સૌથી મોટો ફેરફાર મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ શહેરી વિકાસ સત્તામંડળોમાં જોવા મળી શકે તેમ છે.
રાજ્ય સરકારે ગયા વર્ષે 4થી ફેબ્રુઆરીની મધ્યરાત્રીથી જંત્રીના બમણાં દરનો અમલ શરૂ કરી દીધો હતો પરંતુ રાજ્યભરમાં તેનો વિરોધ થતાં નવા દરો સ્થગિત કરી દેવામાં આવ્યા હતા પરંતુ ફરી 15મી એપ્રિલે જ્યારે સુધારેલા દરો જાહેર કરવામાં આવ્યા ત્યારે તેમાં આંશિક ફેરફારો થયા હતા. એટલે કે બમણાંની જગ્યાએ સરકારે દોઢ ગણા દરો અમલી બનાવ્યા હતા. જો કે ત્યારબાદ વેલ્યૂ ઝોનના આધારે દરમાં સુધારો કરવાનું નક્કી કર્યું હતું, જે કામગીરી ગયા વર્ષના અંતે જ પૂર્ણ થઇ ગઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech