ભાવનગર શહેરના ઘોઘા જકાતનાકા વિસ્તારમાં આવેલા ગાયત્રીનગરમાં રહેણાંક મકાનમા ઘરના સભ્યો રાત્રીના સુતા હતા. ત્યારે ઉપરના રૂમમાં કોઈ શખ્સ પ્રવેશી ત્યાં રહેલા બન્ને મોબાઇલ ફોન જેની બન્નેની કુલ કિંમત રૂપિયા ૨૦,૦૦૦ ચોરી થયાની ફરિયાદ ભરતનગર પોલીસ મથકમાં નોંધાઈ હતી.
આ બનાવ અંગે મળતી માહિતી અનુસાર કેતનકુમાર મુકુદંરાય ત્રીવેદી (ઉ.વ.૫૫, રહે. બ્લોકનં.૨૫૧૫ ગાયત્રીનગર ધોધાજગાતનાકા)એ ભરતનગર પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, સાથે ગત તા.૦૪/૦૨/૨૦૨૪ ના રોજ રાત અગીયારેક વાગ્યાના અરસામાં તેઓ તથા પત્નિ રશ્મીબેન, દીકરો જયદત્ત, તેની પત્નિ વૈદેહી સાથે ઘરના સભ્યો જમી સુઇ ગયા હતા. અને જયદત્ત તથા તેના પત્ની ઉપરના રૂમમાં સુતેલ હતા અને પોતે નીચેના રૂમમાં સુતા હતા. ત્યારે તા.૦૫/૦૨/૨૦૨૪ના વહેલી સવારના આશરે છ વાગ્યે વૈદેહી ટીફીન કરવા જાગેલી ત્યારે પોતાના ઓશીકા પાસે રાખેલો પોતાનો મોબાઇલ ફોન તેણીના જોવામાં આવેલ નહી. જેથી તેણીએ જયદત્તને જગાડલો અને પોતાનો ફોન જોવામાં આવતો નથી. ત્યારે જયદત્તે પણ પોતાનો મોબાઇલ ફોન લેવા જતા તેનો પણ મોબાઇલ ફોન કે જે ઓશીકા પાસે રાખી મુકેલ હતો. તે પણ તેના જોવામાં આવેલ ન મળતા બન્ને મોબાઇલ ફોન તેના રૂમમાંથી ચોરાયેલ હોય જેથી નીચે રૂમમાં આવી જગાડી અને મોબાઇલ ફોનની ચોરી બાબતે જાણ થયેલી જેથી ઘરમાંથી સેમસંગ કંપનીની મોબાઈલ કિંમત રૂપિયા ૧૦૦૦૦ તેમજ જયદતનો જે મોબાઇલ ફોન વાપરતો હતો તે મોબાઇલ સેમસંગ કંપનીનો જેની કિંમત રૂપિયા ૧ ૦૦૦૦ બન્ને મોબાઇલ ફોન કોઈ અજાણ્યો શખ્સ રહેણાક મકાનમાં પ્રવેશ કરી બન્ને મોબાઇલ ફોન સેમસંગ કંપનીના જેની બન્ને મળી કુલ કિંમત રૂપિયા ૨૦૦૦૦ નો મુદ્દામાલ કોઇ શખ્સ ચોરી કરી લઇ ગયેલ હોય જે અંગે ભરતનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech