ભારતીય શેરબજારનો બેન્ચમાર્ક સેન્સેક્સ સતત છઠ્ઠા દિવસે તુટતા હાહાકાર મચી ગયો હતો. મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સેન્સેક્સ 900 પોઈન્ટથી વધુ તૂટી ગયો. 30 શેરનો પેક તેના અગાઉના બંધ સ્તરથી 900 પોઈન્ટથી વધુ તૂટીને 75,388 ના સ્તર પર પહોંચ્યો, જ્યારે નિફ્ટી 50 ઘટાડા સાથે 22,815 ને સ્પર્શ્યો હતો.
બીએસઈ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો 3 ટકા સુધી ઘટતાં મિડ અને સ્મોલ-કેપ સેગમેન્ટ્સે તેમનું નબળું પ્રદર્શન ચાલુ રાખ્યું હતું. બીએસઈ પર લિસ્ટેડ કંપ્નીઓનું એકંદર બજાર મૂડીકરણ પાછલા સત્રમાં 408.5 લાખ કરોડ રૂપિયાથી ઘટીને લગભગ 400.5 લાખ કરોડ રૂપિયા થયું હતું. આમ, રોકાણકારોએ એક દિવસમાં લગભગ 8 લાખ કરોડ રૂપિયા ગુમાવ્યા હતા.
વૈશ્વિક સંકેતો ઉપરાંત કેટલાક અંશે, નવા આવકવેરા બિલ પહેલાં સાવધાની વર્તમાન બજારમાં વેચવાલી પાછળનું કારણ છે. અહેવાલો અનુસાર, નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા 1 ફેબ્રુઆરીના રોજ તેમના બજેટ ભાષણ દરમિયાન જાહેર કરાયેલ નવું આવકવેરા (આઇ-ટી) બિલ ગુરુવારે લોકસભામાં રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.
એવી આશંકા છે કે નવા આવકવેરા બિલ હેઠળ નાણાકીય સિક્યોરિટીઝ પર ઊંચા કર દરો હોઈ શકે છે. નવા આવકવેરા બિલના અમલીકરણને કારણે નાણાકીય સિક્યોરિટીઝ પર ઊંચા કર દરો અંગેના અપ્રમાણિત ભયથી ગભરાટનું વેચાણ પણ થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech