બગસરામાં જેતપુર રોડ પર બાયપાસ ચોકડી વિસ્તારથી માણેકવાડા સુધીમાં થયેલા દબાણો દૂર કરવા માટે તત્રં દ્રારા તાબડતોબ નોટિસો ફટકારવામાં આવી હતી પરંતુ નોટિસનો સમયગાળો પૂરો થઈ ગયો હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા દબાણ વચ્ચે નોટીસ જ દબાઇ ગઇ હોય તેવો ઘાટ સર્જાયો છે.
બગસરાના જેતપુર રોડ પર આવેલ બાયપાસ ચોકડી વિસ્તારમાં છેલ્લ ા ૫૦ વર્ષથી સરકારી બાબુની મીઠી નજર હેઠળ ભુમાફિયાઓ પોતાનો ગેરકાયદેસર ધંધો ધમધમાવતા હોય જેમાં બાયપાસ ચોકડીથી માણેકવાડા સુધી જમીન ગેરકાયદેસર દબાણો કરી બેઠેલ અમુક લોકોને નોટિસ આપવામાં આવેલ નથી જે દબાણ કરીને બેઠા છેે. નાના નાના કેબિન ધારકોને માત્ર હેરાન કરવામાં આવે છે તો આવા આઝાદી વખતથી જમીન પચાવી પાડેલ દબાવીને બેઠેલ જમીન માફિયાઓને કયારે નોટિસ આપવામાં આવશે બગસરાથી બાયપાસથી લઈને માણેકવાડા સુધી સરકારી ધારા ધોરણ મુજબ માપણી કરવામાં આવે તો દૂધે દૂધ અને પાણીનું પાણી થઈ શકે અને નાના માણસોને જ માત્ર હેરાન કરવામાં આવે છે. જેથી દબાણો કરવામાં આવેલ હતા તેમજ રાત્રિના સમયે આ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ પણ વધી રહી હતી. ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે ૧૧ નવેમ્બરના રોજ નાયબ કાર્યપાલક ઇજનેર માર્ગ અને મકાન વિભાગ ધારી દ્રારા સાત દિવસમાં દબાણ દૂર કરવા માટે નોટિસ આપવામાં આવેલ હતી. પરંતુ નવેમ્બરમાં પૂર્ણ થઈ ગયા હોવા છતાં તત્રં દ્રારા કોઈ પગલાં લેવામાં ન આવતા આ દબાણ હટાવવાની કામગીરી પૂર્ણ કરવામાં તંત્રની ઢીલી નીતિ દેખાઈ આવે છે. અત્રે ઉલ્લ ેખનીય છે કે જેતપુર બાયપાસ રોડ પર નગરપાલિકા દ્રારા ૨૦૦૮–૦૯માં ઠરાવ કરી આ જગ્યા હેલીપેડ માટે ફાળવેલી હતી. સરકાર દ્રારા હેલીપેડ માટે નિયત થયેલી સ્થળ પર દબાણ હોવા છતાં પાલિકા દ્રારા પણ કોઈ પગલાં લેવામાં આવતા ન હોવાથી લોકો પણ આશ્ચર્યમાં મુકાયા છે. તંત્રની ઢીલી નીતિને કારણે આ દબાણો કાયમી થઈ જશે તેવું લાગી રહ્યું છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech