ભાવનગર રેલવે ડિવિઝનના ડીઆરએમ (DRM) રવીશ કુમારએ જણાવ્યુ હતું કે રેલવે મંત્રી વૈષ્ણવ દ્વારા વેસ્ટર્ન રેલવેના ભાવનગરડિવિઝન હેઠળના બોટાદ-ગાંધીગ્રામ નવનિર્મિત બ્રોડગેજ લાઈન આગામી માર્ચ'૨૫સુધીમાં ઇલેક્ટ્રિકફિકેશનથી સજ્જ થઇ જશે.
ડિઝીટલ માધ્યમથી જોડાયેલા ભાવનગર રેલવે ડિવિઝનના ડીઆરએમ રવિશ કુમારએ વધુમાં જણાવ્યુ હતુ કે, રૂપિયા ૩૧૫ કરોડના ખર્ચે નિર્માણ પામનારા બોટાદ- ગાંધીગ્રામ વચ્ચેના ૧૬૫ રેલવે ટ્રેકના વીજળીકરણની કામગીરી રેલવે વિકાસ નિગમ લીમીટેડ દ્વારા ઝડપથી આગળ ધપી રહી છે. બોટાદ-ગાંધીગ્રામ વચ્ચેનો રેલવે ઈલેકટ્રીફિકેશન પ્રોજેક્ટને રેલવેએ જૂન ૨૦૨૩મા જ મંજૂરી આપી દીધી છે.ઈલેકટ્રીફિકેશનની કામગીરી માટે માસ્ટ અને રેલવે સ્ટેશનની નજીક પોર્ટલ નાખવાની કામગીરી પણ ચાલી રહી છે. આ તકે ભાવનગર રેલવે ડિવિઝનના એડીઆરએમ હિંમાશુ શર્મા,સિનિયર ડીસીએમ માશૂક અહમદ સહિતના રેલવેના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશું કોઈ દેશ વિઝા પર પ્રતિબંધ મૂકી શકે છે? જાણો ક્યારે લેવામાં આવે છે આ નિર્ણય
April 09, 2025 04:21 PMસંત કંવરરામ મંદિરે ઝુલેલાલ કથા નું આયોજન ૧૪૦મો જન્મોત્સવ ની ઉજવણી કરાશે....
April 09, 2025 04:14 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech