લઘુતમ તાપમાનનો પારો ઉચકાવા છતાં ઠંડીમાં ઘટાડો ન થવાનો સીલસીલો આજે અટકયો છે. આજે પણ લઘુતમ તાપમાનમાં વધારો થયો છે અને તેના કારણે ઠંડીનું જોર નબળું પડું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ સુધી હજુ લઘુતમ અને મહત્તમ તાપમાનમાં વધારો થશે અને તેના કારણે ઠંડી ઘટશે.
વેરાવળ સુરત નર્મદા ડાંગ અને દમણ સહિત રાયના અનેક શહેરોમાં મહત્તમ તાપમાનનો પારો ફરી ૩૦ ડિગ્રીને પાર કરી ગયો છે. સમગ્ર રાયમાં સૌથી ઐંચું તાપમાન ડાંગમાં ૩૨.૭ ડિગ્રી નોંધાયું છે અને તેના કારણે ડાંગના અમુક વિસ્તારોમાં ગઈકાલે માવઠું પણ થયું હતું. વેરાવળમાં અને સુરતમાં મહત્તમ તાપમાન ૩૦.૬ ડિગ્રી નર્મદામાં ૩૦ અને દમણમાં ૩૧ ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
લઘુતમ તાપમાનની વાત કરીએ તો નલિયામાં ગઈકાલે છ ડિગ્રી હતું તે આજે વધીને ૮.૬ ડિગ્રી થઈ ગયું છે. ગિરનાર પર્વત ઉપર આજે ૭.૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે, તે સિવાય સમગ્ર રાયમાં બધે જ લઘુતમ તાપમાન પણ ડબલ ફિગરમાં આવી ગયું છે, જુનાગઢ શહેરમાં ૧૨.૯ ભવનાથ તળેટીમાં ૧૦.૯ ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે. ભેજનું પ્રમાણ ૮૦% આસપાસ નોંધાયું છે અને પવનની ગતિ પાંચ કિલોમીટરની રહેવા પામી છે.
આજે રાજકોટ દ્રારકા સુરત અને ડીસામાં લઘુતમ તાપમાનમાં બે ડિગ્રીનો અમદાવાદમાં અઢી ડીગ્રીનો અને નલિયામાં પણ અઢી ડિગ્રીનો વધારો થયો છે. ઓખા અમરેલી ભુજ અને વડોદરામાં એક એક ડિગ્રી લઘુતમ તાપમાન વધ્યું છે.
રાજકોટમાં આજે લઘુતમ તાપમાન ૧૨.૪ પોરબંદરમાં ૧૨.૫ વેરાવળમાં ૧૭ ઓખામાં ૧૯.૩ દ્રારકામાં ૧૬.૨ ભાવનગરમાં ૧૫.૮ અમરેલીમાં ૧૪.૨ ભુજમાં ૧૨.૪ સુરતમાં ૨૦.૨ વડોદરામાં ૧૬.૨ ડીસામાં ૧૨.૮ અને અમદાવાદમાં ૧૬ ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે.
ભાવનગરમાં ગઈકાલની સરખામણીએ આજે લઘુતમ તાપમાનમાં એકાદ ડિગ્રીનો ઘટાડો થયો છે અને ભેજનું પ્રમાણ ૯૦ ટકા સુધી પહોંચી જતા આજે ભાવનગરમાં સવારે ધુમ્મસ જોવા મળ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech