ચોટીલા વિસ્તારમાં ગત મોડી સાંજે વાડીની ઓરડીમાં યુવક–સગીરાના લટકતી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર જગાવી છે બનાવની જાણ થતાં પોલીસ દોડી ગઇ હતી અને તપાસ હાથ ધરી હતી.
બનાવ અંગે મળતી માહિતી મુજબ ગત રાત્રે આઠેક વાગ્યાના સુમારે લાખણકા ગામનાં વાડી વિસ્તારમાં રમેશભાઇની વાડીએ એક યુવક યુવતીની દોરડા વડે ફાંસો ખાઇ લટકતી હાલતમાં હોવાની ચોટીલા પોલીસને જાણ થતા પીઆઇ આઇ.બી. વલવી તથા સ્ટાફના માણસો ઘટના સ્થળે દોડી જઇ મૃતદેહને નીચે ઉતારી હોસ્પિટલ પીએમ માટે ખસેડયા હતા.
મરણજનાર યુવક સાયલાનાં કોટડા ગામનો ચિરાગ લધુભાઇ ધોરીયા (ઉ.વ.૨૨) અને યુવતી સગીર વયની વિછીંયા પંથકની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસની પ્રારંભીક તપાસમાં મરણજનાર બંન્ને એક જ સમાજના હોવાનું અને બંન્ને વચ્ચે પ્રેમ સંબધં હોવાનું અને થોડા દિવસ પહેલા બંન્ને યુવા હૈયા ઓ એક થવાના કોડ સાથે ઘરેથી નિકળી ગયેલ હોવાનું બહાર આવેલ છે. તેમજ બે દિવસ પૂર્વે યુવક સામે સગીર યુવતી ને બદકામ કરવાના ઇરાદે લલચાવી ફોસલાવી ભગાડી ગયાની પોકસો સહિતની કલમ હેઠળ વિછીયા પોલીસમાં ગુનો નોંધાયેલ હોવાનું જાણવા મળે છે.
મોબાઇલ યુગમાં ભાગતા આજના ફાસ્ટ જનરેશનમાં સૌથી વિપરીત અસર ગ્રામ્ય પંથકમાં યુવા વર્ગ ઉપર પડી છે. ત્યારે અણ સમજની ઉમરે આકર્ષણનાં ઓછારે કહેવાતા પ્રેમ મા ભરાતા પગલાંઓનો દુ:ખદ ભાર પરિવારજનોને સહન કરવાનો વારો આવતો હોવાનાં અનેક બનાવો પ્રકાશમાં આવતા હોય છે.
સગીર વયની યુવતી સાથે પાંગરેલ પ્રેમ મા ફરિયાદ બાદ બંન્ને એક નહી થઇ શકે તેવું લાગી આવતા આત્મઘાતી પગલુ ભયુ હોવાનો પ્રાથમિક અનુમાન સેવાય છે. હાલ બંન્ને ના મૃતદેહ ને ફોરેન્સિક પીએમ માટે રાજકોટ ખસેડાયેલ છે અને સમગ્ર બનાવને લઈ ને પોલીસ તપાસ કરી રહેલ છે. મૃતક યુવક ૪ ભાઇ, ૧ બહેનમાં બીજા નંબરે હતો. જયારે સગીરા પાંચ ભાઇને એકની એક બહેન હતી. બન્નેના મૃત્યુથી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
બન્નેના મૃતદેહ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લવાયા છે. પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું છે, પ્રેમ પ્રકરણમાં બન્ને એક નહીં થઇ શકવાના કારણે સાથે મળીને જીંદગી ટૂંકાવી નાખી છે કે બન્ને વચ્ચે કોઇ કારણે કાંઇ માથાકૂટ થઇ હોય અને આત્મઘાતી પગલું ભરી લીધું ? બન્નેના મોબાઇલ ફોન અને નજીકના પરિચિત કે પરિવારજનને પોલીસ ઘટના સંદર્ભે કારણ શોધવા માટે પુછપરછ સાથે નિવેદન નોંધવા માટે કાર્યવાહી કરી રહી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાવાઝોડાની સંભાવનાને લઈને ઓખા, રૂપેણ અને સલાયા બંદર પર એલર્ટ
May 22, 2025 07:15 PMજામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં ભારે વરસાદ
May 22, 2025 06:49 PMજામનગર : કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન મામલે કૃષિમંત્રી દ્વારા મહત્વનું નિવેદન
May 22, 2025 06:48 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech