ભાવનગર શહેર અને જિલ્લામાં તાજેતરમાં કોરોનાના કેસ નોંધાયા છે છતાં મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો ખાતે કોરોનાની તપાસ માટેના કોરોના પરિક્ષણ શરૂ ન કરાતા કોરોનાના લક્ષણ ધરાવતાં દર્દીઓને સર ટી હોસ્પિટલમાં મોકલવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી છે.
ભાવનગર સહિત દેશભરમાં કોરોનાના કેસ ફરી જોવા મળી રહ્યા છે ત્યારે લોકોમાં ફફડાટ ફેલાયો છે. ચાર વર્ષ પૂર્વે કોરોનાની તપાસ માટે ભાવનગર મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો તેમજ અન્ય હોસ્પિટલોમાં રેપિડ પરિક્ષણ કરવામાં આવતું હતું. જેથી લોકોને કોરોના છે કે નહીં ? તેનો ખ્યાલ આવતો હતો પરંતુ હાલ મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો ખાતે કોરોના પરિક્ષણ માટે કોઈ વ્યવસ્થા ન હોવાથી કોરોના છે કે નહીં ?તેનો ખ્યાલ લોકોને આવતો નથી.
આ અંગે મહાપાલિકાના આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવાયા મુજબ મહાપાલિકાના આરોગ્ય કેન્દ્રો ખાતે રેપિડ પરિક્ષણ થતું નથી પરંતુ કોરોનાના લક્ષણો હોય તો તેવા દર્દીઓને ભાવનગરની સર તખ્તસિંહજી હોસ્પિટલ મોકલવામાં આવે છે અને ત્યાં કોરોનાના પરિક્ષમ કરવામાં આવે છે, ઉપરાંત ખાનગી હોસ્પિટલોમાં પણ કોરોનાના પરિક્ષણ થતું હોવાનું પણ સૂત્રોએ ઉમેર્યું હતું.
દરમ્યાન હાલના સંજોગોમાં મહાપાલિકાના આરોગ્ય વિભાગે કોરોનાની તપાસ માટે રેપિડ પરિક્ષણ શરૂ કરવામાં આવે તે અતિ આવશ્યક બન્યું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમિતાભ સાથે સમય વિતાવવા મળે તે માટે રેખાએ ફિલ્મ છોડી, સાઇનિંગ રકમ પછી દીધી
June 05, 2025 11:27 AMસ્પેનિશ ફિલ્મ 'ચેમ્પિયન્સ'ની રિમેક માટે આમિરે ટ્રોલિંગ સહેવું પડ્યું
June 05, 2025 11:24 AMકન્નડ ભાષાના વિવાદ વચ્ચે, 'ઠગ લાઈફ'ની એડવાન્સ બુકિંગથી જબરી કમાણી
June 05, 2025 11:23 AMજેતપુર પાલિકાના એસઆઈ, એકાઉન્ટન્ટને ચીફ ઓફિસરે ડિસમિસ થતાં બચાવી લીધા
June 05, 2025 11:14 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech