ઈશ્વરીયા પાર્ક ખાતે આવેલા તળાવમાં અત્યારે જે પાણી છે તે ખાલી કરી ત્યાં તળાવમાં ગાંડીવેલ છે તે દૂર કરવા કલેકટર તંત્રએ નિર્ણય લીધો છે. આ બાબતે પ્રાંત અધિકારી ચાંદની પરમારનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે અમે મહાનગરપાલિકા સાથે વાતચીત કરી રહ્યા છીએ અને યારે ગાંડીવેલ કાઢવાનું શ કરાશે તે પહેલા તળાવમાં રહેલું પાણી ઉલેચીને બહાર કઢાશે.
ઈશ્વર્યા તળાવમાં મુલાકાતીઓની સંખ્યા વધારવા માટે રાજકોટ જિલ્લા કલેકટર પ્રભવ જોશી એ આ સંદર્ભે બેઠક બોલાવી હતી અને તળાવનું બ્યુટીફિકેશન વધારવા, તળાવ આડી ઐંચી દીવાલ છે તેની હાઈટ ઘટાડી ત્યાં લોકો પાળી પર બેસી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા સહિતની બાબતમાં વિચાર ચાલે છે. આ ઉપરાંત કેકટસ પાર્ક પણ બનાવવામાં આવશે. રસ્તાની હાલતમાં સુધારો કરી પેવર બ્લોક નાખવામાં આવશે.
ઈશ્વરીયા પાર્ક માટે વધુ શું થઈ શકે તે સંદર્ભે વિકાસના સૂચનો લોકોમાંથી અને જાણકારોમાંથી મેળવાય રહ્યા છે. આર્કિટેકની પેનલની પણ આ બાબતે નિમણૂક કરવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમયુર તું પકડાઈ ગયો છો કહેતા જ ફોન કરી ડો.અંકિતને બોલાવતા પતાવટ માટેની ઓફર કરી
April 11, 2025 05:24 PM૩ મહિનામાં ૩ ઘર બદલવા પડ્યા, ભાડું નક્કી થઈ જાય પણ 'રૂમમેટ'ને જોતા જ મકાનમાલિક ભગાડી દે છે!
April 11, 2025 05:08 PMજામનગર : રાંદલ નગરમાં ગાય પર દુષ્કર્મ મામલો
April 11, 2025 04:00 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech