લઘુતમ તાપમાનમાં સામાન્ય વધઘટ સાથે ઠંડી અનુભવાય છે. પરંતુ સૂર્યનારાયણના દર્શન થતાની સાથે જ શિયાળાની સિઝન જેવી ઠંડીનો માહોલ ગાયબ થઈ જાય છે અને ગરમી શરૂ થઈ જાય છે. રાજકોટ સહિત રાજ્યના સાત શહેરોમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રીને પાર કરી ગયું છે. સૌથી ઊંચું તાપમાન રાજકોટમાં 32.3 ડિગ્રી નોંધાયું છે.
ગિરનાર પર્વત ઉપર સાત અને નલિયામાં 6.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે પરંતુ તે સિવાય રાજ્યમાં ક્યાંય લઘુતમ તાપમાન સિંગલ ડિઝીટમાં રહ્યું નથી. મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય વધઘટ જોવા મળે છે પરંતુ મહત્તમ તાપમાન સતત વધી રહ્યું છે. સુરતમાં 31.6 અમરેલીમાં 30.4 વેરાવળમાં 31 સુરેન્દ્રનગરમાં 30.3 મહુવામાં 31 અને દમણમાં 30 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.
આજના લઘુતમ તાપમાન ની વાત કરીએ તો ભુજમાં ગઈકાલે 10.2 અને આજે 11.4 નલિયામાં ગઈકાલે છ અને આજે 6.4 ભાવનગરમાં ગઈકાલે 15.4 અને આજે 15.6 પોરબંદરમાં ગઈકાલે 13.2 અને આજે 13 રાજકોટમાં ગઈકાલે 11.4 અને આજે 11.5 તથા વેરાવળમાં ગઈકાલે 18 અને આજે 18.1 ડિગ્રી લઘુતમ તાપમાન રહ્યું છે.
ડીસામાં બે ડિગ્રીના વધારા સાથે આજે 12.1 ગાંધીનગરમાં ત્રણ ડીગ્રીના વધારા સાથે આજે 14.5 વડોદરામાં સામાન્ય વધારા સાથે આજે 16 અને અમદાવાદમાં એક ડિગ્રીના વધારા સાથે આજે 15.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું છે.
હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે અમુક જગ્યાએ સામાન્ય ઘટાડો અને અમુક જગ્યાએ સામાન્યથી ત્રણ ડીગ્રી વધારો લઘુતમ તાપમાનમાં જોવા મળે છે.
પરંતુ આવતીકાલથી લઘુતમ તાપમાન પણ ઉચ્ચકાશે અને અગામી 4 થી 5 દિવસમાં બે થી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન વધી જશે.
બરફીલા પવન અને ભેજના વધુ પ્રમાણના કારણે મોડી સાંજથી સવાર સુધી શિયાળાની સીઝન જેવી ઠંડી અનુભવાય છે.
આજે ભાવનગરમાં 90 વડોદરામાં 94 દમણમાં 94 નલિયામાં 84 રાજકોટમાં 77 અને સુરતમાં 88% ભેજ નોંધાયો છે આગામી તારીખ 4 ના રોજ નોર્થ વેસ્ટ ઇન્ડિયાને અસર કરે તેવું એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઇ રહ્યું છે અને તેના કારણે વાતાવરણમાં ફેરફારની શક્યતા પણ ઊભી થઈ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech