જામનગરના એમ.પી. શાહ કોમર્સ કોલેજના મેદાનમાં ચાલી રહેલા સહિયર નવરાત્રી મહોત્સવ દરમિયાન આ મહોત્સવના સંચાલક રીટાબેન અને સંજયભાઈ જાની દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની એક પેડ માઁ કે નામ ની મુહિમને આગળ ધપાવવાનો પ્રયાસ કરાયો છે, અને નવરાત્રી મહોત્સવ દરમિયાન ફૂલ-ઝાડના રોપાના બીજનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, ત્યારે જામનગરના મહાનુભાવો પણ આ મુહિમમાં સહર્ષ જોડાયા હતા, અને તેઓના હસ્તે જુદા જુદા રોપાના બીજનું વિતરણ કરાયું હતું.
જામનગરના જિલ્લા કલેકટર ભાવિન કુમાર પંડ્યા, તથા જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ અને તેમના ધર્મપત્ની દ્વારા દાંડિયા રાસ મહોત્સવમાં ઉપસ્થિત ખેલૈયાઓ તેમજ અન્ય પ્રેક્ષકો વગેરેને અલગ અલગ પ્રજાતિના ફુલ-ઝાડના રોપા માટેના બીજનું વિતરણ કરવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech