પોરબંદરના ખીજડીપ્લોટ ખાતે સનાતની હિંદુ જનતાએ આતંકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા.
જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં જે ૨૬ લોકો મોતને ભેટ્યા છે, આ આતંકવાદી હુમલો અતિ નિંદનીય અને દુ:ખદ છે, પોરબંદરની સનાતની હિંદુ જનતાએ પોરબંદર સ્થિત મહારાણા નટવરસિંહજી ઉદ્યાન ખાતે કાશ્મીરમાં આંતકવાદી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને હૃદયપુર્વક શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી.આ શ્રધાંજલિ કાર્યક્રમમાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, પોરબંદર જિલ્લા ભાજપ મહામંત્રી અશોકભાઈ મોઢા, પોરબંદર જિલ્લા યુવા ભાજપ પ્રમુખ લક્કિરાજસિંહ વાળા,પુર્વ નગરપાલિકા પ્રમુખ ડો.ચેતનાબેન તિવારી,પુર્વ પોરબંદર શહેર ભાજપ પ્રમુખ પંકજભાઈ મજીઠીયા સહિત પોરબંદરના મોટી સંખ્યામાં ભાઇઓ તેમજ બહેનો ઉપસ્થિત રહ્યા અને શ્રધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. જમ્મુ કાશ્મીર પહેલગામમાં કરવામાં આવેલ આતંકવાદી હુમલામાં જીવ ગુમવનારા લોકોને પોરબંદર મહિલા મોરચા દ્વારા ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી જેમાં ભાજપ જિલ્લા પ્રમુખ મીતાબેન થાનકી, સરોજબેન કક્કડ, પ્રજ્ઞાબેન ચૌહાણ, ભારતીબેન ચામડીયા ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશર્મિલા ટાગોર પુત્રી સાથે કાન્સમાં પહોંચી, સાદગીથી ફેન્સના દિલ જીત્યા
May 20, 2025 12:48 PMજામનગર : નાધેડીના યુવાનનો અપહરણનો મામલો
May 20, 2025 11:59 AMદ્વારકાઃ ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા ઇચ્છુકો માટે ઓનલાઇન અરજી
May 20, 2025 11:56 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech